Webdunia - Bharat's app for daily news and videos

Install App

યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહનુ નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Webdunia
શનિવાર, 21 ઑગસ્ટ 2021 (23:30 IST)
યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનુ શનિવારે સાંજે નિધન થઈ ગયુ. 89 વર્ષની વયમાં શનિવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ અનેક દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. કલ્યાણ સિંહના આરોગ્યને જોતા સૌ પહેલા તેમને લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર જુલાઈના રોજ તેમની હાલત ફરીથી બગડતા તેમને પીજીઆઈમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 
<

दुख की इस घड़ी में मेरे पास शब्द नहीं हैं। कल्याण सिंह जी जमीन से जुड़े बड़े राजनेता और कुशल प्रशासक होने के साथ-साथ एक महान व्यक्तित्व के स्वामी थे। उत्तर प्रदेश के विकास में उनका योगदान अमिट है। शोक की इस घड़ी में उनके परिजनों और समर्थकों के प्रति मेरी गहरी संवेदनाएं। ओम शांति! pic.twitter.com/Z3fq49n1yE

— Narendra Modi (@narendramodi) August 21, 2021 >
 
< — Narendra Modi (@narendramodi) August 21, 2021 >

ઉલ્લેખનીય છે કે પીજીઆઈમાં શિફ્ટ થવાના ચાર દિવસ પર તેમનુ સ્વાસ્થ્ય બગડતુ જઈ રહ્યુ હતુ. ડોક્ટર સતત તેમની દેખરેખમાં લાગ્યા હતા. આ દરમિયાન સીએમ યોગી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ સમય સમય પર પીજીઆઈ જઈને તેમના હાલચાલ પુછી રહ્યા હતા. કલ્યાણ સિંહના નિધનના સમાચાર મળતાજ ભાજપા સહિત તમામ રાજનીતિક દળોમાં શોકની લહેર દોડી ગઈ છે. 
 
રામમંદિર આંદોલનને આપી અલગ ઓળખ 
 
90ના દસકામાં ભાજપાના રામમંદિર આંદોલનને કલ્યાણ સિંહે જ જુદી ઓળખ આપી. અયોધ્યામાં વિવાદિત માળખુ પડવાની જવાબદઆરી લીધી અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામ આપ્યુ હતુ. કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી સન 1932મા% અલીગઢના અતરૌલી તહસીલના મઢૌલી ગ્રામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો. બાળપણમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાય ગયા.  કલ્યાણ સિંહે વિપરિત પરિસ્થિતિમાં ખૂબ મહેનત કરી પોતાનુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ. ત્યારબાદ અધ્યાપકની નોકરી કરી. સાથે જ તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને રાજનીતિના ગુણ પણ સીખતા રહ્યા. કલ્યાણ સિંહ  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રહીને ગામેગામ જઈને લોકોમાં જાગૃતતા ઉભી કરતા રહ્યા. 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments