Webdunia - Bharat's app for daily news and videos

Install App

મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા બસમાં લાગેલી આગમાં જ ત્રણ લોકો ભડથું

Webdunia
શુક્રવાર, 5 નવેમ્બર 2021 (14:34 IST)
ઈન્દોરથી મથુરા દર્શન કરવા માટે મિની બસમાં સવાર લોકોને શુક્રવારે સવારે મોટો અકસ્માત નડ્યો હતો. મધ્યપ્રદેશના ગુનાના ચાચોડાના બરખેડા પાસે એક મીની બસ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરને ધડાકા સાથે અથડાઈ હતી. ટક્કરથી બસમાં અચાનક આગ લાગી હતી અને ભાઈ-બહેન સહિત 3 લોકો જીવતા જ ભડથું થઈ ગયા હતા. તેમાંથી એક 13 વર્ષની છોકરી પણ હતી. અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 28 લોકો સવાર હતા. જ્યારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો ત્યારે માત્ર મૃતકોના હાડપિંજર જ મળ્યા હતા.
 
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીની રાત્રે મથુરાથી ટ્રાવેલર્સની બસ ઈન્દોર તરફ આવી રહી હતી ત્યારે ગુના જિલ્લાના બીનાગંજ પાસે મોટો અકસ્માત થયો હતો.મધ્યપ્રદેશના ઇન્દોરના કેટલાક લોકો દિવાળી પર મથુરાની મુલાકાત લઈને પાછા ફરી રહ્યા હતા. બીનાગંજ પાસે રાત્રિના સમયે રસ્તાના કિનારે પાર્ક કરાયેલા કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ પછી ટ્રાવેલર્સની બસમાં આગ લાગી હતી.
 
ટ્રાવેલર્સની બસમાં આગ લાગવાથી સવાર કરી રહેલા 16 મુસાફરોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમના શરીર સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગયો હતો.મૃતદેહ ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં હતાં અન્ય કેટલાક લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મૃતકોના નામ હજુ સુધી જાણવા મળ્યા નથી.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Instant Farali dosa recipe- ફરાળી ઢોસા

આલુ દૂધી પરોઠા

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

વધુ જુઓ..

નવીનતમ

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

આગળનો લેખ
Show comments