Webdunia - Bharat's app for daily news and videos

Install App

મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા બસમાં લાગેલી આગમાં જ ત્રણ લોકો ભડથું

Webdunia
શુક્રવાર, 5 નવેમ્બર 2021 (14:34 IST)
ઈન્દોરથી મથુરા દર્શન કરવા માટે મિની બસમાં સવાર લોકોને શુક્રવારે સવારે મોટો અકસ્માત નડ્યો હતો. મધ્યપ્રદેશના ગુનાના ચાચોડાના બરખેડા પાસે એક મીની બસ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરને ધડાકા સાથે અથડાઈ હતી. ટક્કરથી બસમાં અચાનક આગ લાગી હતી અને ભાઈ-બહેન સહિત 3 લોકો જીવતા જ ભડથું થઈ ગયા હતા. તેમાંથી એક 13 વર્ષની છોકરી પણ હતી. અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 28 લોકો સવાર હતા. જ્યારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો ત્યારે માત્ર મૃતકોના હાડપિંજર જ મળ્યા હતા.
 
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીની રાત્રે મથુરાથી ટ્રાવેલર્સની બસ ઈન્દોર તરફ આવી રહી હતી ત્યારે ગુના જિલ્લાના બીનાગંજ પાસે મોટો અકસ્માત થયો હતો.મધ્યપ્રદેશના ઇન્દોરના કેટલાક લોકો દિવાળી પર મથુરાની મુલાકાત લઈને પાછા ફરી રહ્યા હતા. બીનાગંજ પાસે રાત્રિના સમયે રસ્તાના કિનારે પાર્ક કરાયેલા કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ પછી ટ્રાવેલર્સની બસમાં આગ લાગી હતી.
 
ટ્રાવેલર્સની બસમાં આગ લાગવાથી સવાર કરી રહેલા 16 મુસાફરોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમના શરીર સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગયો હતો.મૃતદેહ ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં હતાં અન્ય કેટલાક લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મૃતકોના નામ હજુ સુધી જાણવા મળ્યા નથી.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments