Webdunia - Bharat's app for daily news and videos

Install App

Farmer Protest LIVE Update: ટ્રેક્ટર્સ સાથે ખેડૂતોને દિલ્હી ચલો માર્ચ શરૂ, બોર્ડર પર લાગ્યો લાંબો જામ

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (11:04 IST)
kisan andolan

 
 ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા 'દિલ્હી ચલો' વિરોધ માર્ચને ધ્યાનમાં રાખીને સિંઘુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા કડક કરવામાં આવી છે. પોલીસે હરિયાણાથી દિલ્હી આવતા માર્ગો પર બેરિકેડ કરી દીધા છે. આ સિવાય યુપીથી દિલ્હી આવતી વખતે રસ્તાઓ પણ સીલ કરી દેવામાં આવ્યા છે. સિંઘુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર બેરિકેડ કરવામાં આવ્યા છે. ખેડૂતો, જેમણે સંગરુરના મહિલા ચોક ગામમાં તેમનો આધાર શિબિર સ્થાપિત કર્યો છે, તેઓએ તેમની મુસાફરીની તૈયારીઓ કરી છે, જેમાં આવશ્યક ખાદ્ય પુરવઠાનો સંગ્રહ છે. વિરોધના પગલે, દિલ્હી પોલીસે સોમવારે ખેડૂતોની કૂચ પર સંભવિત અશાંતિ અને સુરક્ષા મુદ્દાઓની ચિંતા વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં 12 માર્ચ સુધી મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો. દિલ્હીની સરહદો પરના બેરિકેડ્સ વિશે વાત કરતા, ખેડૂતોએ કહ્યું કે આ પગલાં તેમને રોકશે નહીં કારણ કે તેઓ "અડધા કલાકમાં બેરિકેડ્સને તોડી નાખશે".

<

MASSIVE

The Dutch farmers are not giving up - Huge protest with tractors everywhere today.

They are saying NO to the climate agenda.

SUPPORT FARMERS pic.twitter.com/gaCjZUzLZq

— PeterSweden (@PeterSweden7) February 12, 2024 >

ખેડૂતોની માંગ શું છે?
 
સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)ના નેતા જગજીતસિંહ દલ્લેવાલે બીબીસીને જણાવ્યું હતું કે, “અમે અમારી માંગણીઓ મનાવવા માટે ‘દિલ્હી ચલો’નો નારો નથી આપ્યો. અમે સરકાર પાસેથી ફક્ત એ જ માંગણી કરી રહ્યા છીએ કે ખેડૂત આંદોલન પાછું ખેંચતા સમયે સરકારે અમને જે વચન આપ્યું હતું તેને નિભાવે.”
 
દલ્લેવાલ કહે છે, “સરકારે એ સમયે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગૅરંટીનું વચન આપ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ખેડૂતો સામે જે કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવામાં આવશે. લખીમપુર-ખીરીની ઘટનામાં મરનાર લોકોના પરિવારોને નોકરી અને ઘાયલોને દસ-દસ લાખ રૂપિયા આપવામાં આવશે એવું પણ વચન આપવામાં આવ્યું હતું.”
 
2021માં ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ચાર શીખ ખેડૂતોને ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાની એસયુવી દ્વારા કથિત રીતે કચડી નાખવામાં આવ્યા હતા.
 
દલ્લેવાલે કહ્યું કે, “સરકારે કહ્યું હતું કે ખેડૂતોને પ્રદૂષણના કાયદાથી મુક્ત રાખવામાં આવશે. સૌથી મોટું વચન એ હતું કે ખેડૂતોને સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર પાકના ભાવ આપવામાં આવશે. પરંતુ આ વચનોમાંથી એકપણ વચન પૂરું થયું નથી.”
 
સ્વામીનાથન કમિશનની ભલામણો કહે છે કે ખેડૂતોને તેમના પાકની કિંમત દોઢ ગણી આપવામાં આવે.

10:48 AM, 13th Feb
-  શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી જવા રવાના થયા
 ખેડૂતોએ હરિયાણા-પંજાબની શંભુ બોર્ડરથી તેમની 'દિલ્હી ચલો' માર્ચ શરૂ કરી છે. ખેડૂતો ટ્રેક્ટરમાં દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે.
 
- કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનનો ગેટ બંધ
ખેડૂતોના 'દિલ્હી ચલો' વિરોધને જોતા સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. આજે ખેડૂતોની 'દિલ્લી ચલો' માર્ચને લઈને ઝરોડા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
 
પંજાબના ફતેહપુર સાહિબથી ખેડૂતોની દિલ્હી ચલો કૂચ શરૂ થઈ છે. ખેડૂતો ટ્રેક્ટર અને ટ્રોલીઓ સાથે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. જો કે પોલીસે માર્ગ પર બેરીકેટ લગાવી દીધા છે.
 
- પંઢેર એ સરકાર પર બોલ્યો હુમલો 
ખેડૂત સંગઠન ના દિલ્હી ચલો વિરોધ માર્ચ પર કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવન સિંહ પંઢેરે કહ્યુ કે કોંગ્રેસ અમને કોઈ સપોર્ટ નથી કરતી. અમે કોંગ્રેસને પણ એટલા જ દોષી માનીએ છીએ જેટલા ભાજપા દોષી છે. અમે કોઈ પક્ષના નથી. અમે એવા લોકો છીએ જે ખેડૂતો અને મજૂરોનો અવાજ ઉઠાવીએ છીએ. તેમણે કહ્યું કે અમે ગઈકાલની બેઠકમાં ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો હતો જેથી અમે સરકાર સાથે ટકરાવ ટાળીએ અને કંઈક મેળવી શકીએ... અમે ગઈકાલે હરિયાણાની સ્થિતિ તેમની સમક્ષ મૂકી... પંજાબ અને હરિયાણાના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે... એવું લાગે છે કે આ બંને રાજ્યો હવે ભારતનો ભાગ નથી, તેમને આંતરરાષ્ટ્રીય સરહદો તરીકે ગણવામાં આવે છે.

<

#WATCH: Fatehgarh Sahib: Punjab Kisan Mazdoor Sangharsh Committee General Secretary Sarwan Singh Pandher says "...Congress party does not support us, we consider Congress equally responsible as much as the BJP. These laws were brought by Congress itself...We are not in favour of… pic.twitter.com/N0SBK4mXBI

— ANI (@ANI) February 13, 2024 >

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments