Webdunia - Bharat's app for daily news and videos

Install App

FACT check of fake news - આ ભારતીય પાયલોટ ઉર્વીશા જરીવાલાની તસ્વીરો નથી જેણે જૈશના આતંકી ઠેકાણાઓ પર બોમ્બ ફેક્યો

Webdunia
બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (16:47 IST)
ભારતીય ફાઈટર જેટના પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કરવાના સમાચાર જેવા જ આવ્યા, એવા જ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો સામે આવવા માંડી. આવી જ કેટલીક પોસ્ટ મહિલા પાયલોટના વિશે છે. મોટાભગની પોસ્ટસમાં દાવો છે કે મહિલા પાયલોટ ઉર્વીશા જરીવાલા પણ આ 12 પાયલોટમાંથી એક હતી. જેમણે આ કાર્યવાહીને અંજામ સુધી પહોંચાડી. ઈંડિયા ટુડે એંટે ફેક ન્યુઝ વોર રૂમ (AFWA)એ પોતાની પડતાલમાં જોયુ કે આ બંને જ પોસ્ટમાં જે ફોટો છે તે કોઈ અન્યના છે. 
જ્યારથી ભારતે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘુસીને હુમલો કર્યો છે ત્યારથી ઘણા લોકો ભારતીય વાયુસેનાના જાંબાઝ કલાકારોને શુભેચ્છા આપી રહ્યા છે. જેમણે આ કાર્યવાહીને અંજામ આપ્યો છે. આ જ પ્રક્રિયામાં અનેક સોશિયલ મીડિયા પોસ્ટનો દાવો છે કે ઉર્વીશા જરીવાલ નામની પાયલોટ પણ ભારતીય એક્શનનો ભાગ છે. એક પોસ્ટમાં લખ્યુ છે કે હવાઈ હુમલાની પાયલટ સૂરતની ઉર્વીશા જરીવાલા પણ હતી. આ પોસ્ટ અહી જુઓ..
 
બીજી બાજુ એક બીજી પોસ્ટ એ છે જેનો દાવો છે કે સૂરતવાસીઓ માટે ગૌરવના સમાચાર.. હવાઈ હુમલાની પાયલોટ સૂરતની ઉર્વીશા જરીવાલા હતી. 
 
અમે બંને જ પોસ્ટનુ રિવર્સ સર્ચ કર્યુ તો જોયુ કે તસ્વીરો ઉર્વીશા જરીવાલાની નથી. આ તસ્વીર યૂનાઈટેડ અરબ અમીરાતની પાયલોટ મેજર મરિયમ અલ મન્સૌરીની છે. તેના વિશેના સમાચાર અહી જોઈ શકાય છે. 
 
બીજી બાજુ બીજી તસ્વીર પણ ઉર્વીશા જરીવાલાની નથી પણ આ છે સ્કવાડર્ન લીડર સ્નેહા શેખાવતની. 2015ના એક સમાચારમાં તેમની અહી ફોટો અહી જોઈ શકાય છે. 
 
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ઓપરેશનમાં ભાગ લેનારા સૈનિકોના નામ જગ જાહેર નથી કરાતા. ભારતીય વાયુસેના અને ભારત સરકારે પણ 26 ફેબ્રુઆરીના રોજ થયેલ  ઓપરેશનામાં ભાગ લેનારા અધિકારીઓના નામ આ સમય ગુપ્ત રાખવામાં આવ્યા છે. આ કારણે એ કહેવુ છે કે કોઈ મહિલા અધિકારીએ આ ઓપરેશનમાં ભાગ લીધો એ કહેવુ અટકળોના બજારને ગરમ કરવા જેવુ રહેશે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments