Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Corona Guidelines: DDMA નો આદેશ - દિલ્હીમાં આજથી બધી પ્રાઈવેટ ઓફિસો બંધ રહેશે, થોડીવારમાં સીએમ કેજરીવાલ કરશે પ્રેસ કૉન્ફ્રેંસ

Webdunia
મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (11:51 IST)
દિલ્હીમાં કોરોના સંક્રમણ (Delhi Corona Guidelines)ના વધતા કેસને જોતા DDMD (દિલ્લી ડિજાસ્ટર મેનેજમેંટ અથોરિટી) એ તાજેતરમાં બધા પ્રાઈવેટ ઓફિસ બંધ કરવાનો આદેશ આપ્યો છે.  ફક્ત એ પ્રાઈવેટ ઓફિસને ખોલવાની મંજુરી છે જે જરૂરી સેવાઓ સાથે સંકળાયેલી છે. આ આદેશ પછી સ્પષ્ટ છે કે દિલ્હીમાં હવે પ્રાઈવેટ ઓફિસના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ જ કરશે.  થોડી જ વારમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પ્રેસ કૉન્ફ્રેંસ કરશે. 
 
 
-  દિલ્હીની જેલમાં 66 કેદીઓ અને 48 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
-  ભારતમાં આજથી વિદેશથી આવનારા તમામ મુસાફરોએ 7 દિવસ સુધી ક્વોરેન્ટીન થવું જરૂરી છે. આઠમા દિવસે મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.
-  208 દિવસ પછી દેશમાં ફરી સૌથી વધારે એક્ટિવ કેસ થયા છે, હાલ એક્ટિવ કેસ 8.21 લાખ છે.
-  મુંબઈમાં 400 ડોક્ટર્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમાં જેજે હોસ્પિટલમાં 100, સાયનમાં 104, કેઈએમ મુંબઈમાં 88, NAIRમાં 59 ડોક્ટર દાખલ છે. આ સિવાય થાણે, પુણે અને નાંદેડમાં 50થી વધુ ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે.
-  બિહારમાં 500થી વધુ ડોક્ટરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
-  આગ્રામાં કોરોનાના 1000થી વધુ એક્ટિવ કેસને પગલે સ્વિમંગ પૂલ અને જિમ બંધ રહેશે.
-  અમેરિકાની ફર્મ નોમુરાનો દાવો છે કે જો આ ગતિથી દેશમાં કેસ વધશે તો ભારતમાં આગામી મહિના સુધીમાં કોરોનાના મામલા પીક પર હશે. ફરીથી દેશમાં પ્રત્યેક દિવસે -  કોરોનાના નવા કેસની સંખ્યા 30 લાખ થઈ શકે છે.
-  દિલ્હીમાં કોરોનાના કેસ 20 હજારની નજીક પહોંચતાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ અહીં રેસ્ટોરન્ટ અને બારને બંધ કરીને ટેક અવેની જ સુવિધા આપવામાં આવી છે.
-  દિલ્હીમાં સોમવારે કોરોનાના 19,166 નવા કેસ નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં સંક્રમણ દર 25 ટકાએ પહોંચી ગયો છે અ ને કોરોનાથી 17 લોકોનાં મૃત્યુ થયાં છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કારખાનામાં આગ, 3 કારખાના બળીને રાખ; બહાદુરગઢમાં ભયાનક અકસ્માત

મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે ચૂંટણી લડતા શરદ પવારે આ નેતાનું નામ ઉઠાવ્યું, ઉદ્ધવ-કોંગ્રેસ પક્ષમાં નથી.

5 કરોડ આપો નહીંતર બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે' સલમાન ખાનને ફરીથી લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

દિવાળી પહેલા મોંઘવારી પર અંકુશ આવશે! 'કાંદા એક્સપ્રેસ' મહારાષ્ટ્રથી સસ્તી ડુંગળી લાવી રહી છે

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

આગળનો લેખ
Show comments