Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી પછી માયાવતીના ભાઈના ખાતામાં જમા થયા 1.44 કરોડ રૂપિયા, BSP પાસે 104 Cr.

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (11:26 IST)
યૂનાઈટેડ બેંક ઓફ ઈંડિયાની કરોલ બાગ બ્રાંચમાં બસપાના ખાતામાં 104 કરોડ અને માયાવતીના ભાઈ આનંદ કુમારના ખાતામાં 1.43 કરોડ રૂપિયાની રકમ જમા કરવાનો ખુલાસો થયો છે.  ઈન્કમ ટેક્સ વિભાગે તેમના વિરૂદ્ધ બેનામી સંપત્તિ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હીના કરોલ બાગ સ્થિત યૂનિયન બેંક ઓફ ઇન્ડિયામાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી
 
આ તપાસ દરમિયાન ઈડીને યૂનિયન બેંકની શાખામાં 2 એવા એકાઉન્ટ મળ્યા જેમાં નોટબંધીના નિર્ણય બાદ કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. જેમાં એક ખાતાધારક માયાવતીના ભાઈ આનંદકુમાર છે. જેમના ખાતામાં ઈડીને એક કરોડ 43 લાખ રૂપિયા મળ્યા તો બીજુ ખાતું બસપાનું પોતાનું છે જેમાં ઈડીને 104 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.
 
આ બંને ખાતામાં 8 નવેમ્બર બાદ જુદી જુદી તારીખે આ રકમ નાના નાના ટુકડાઓમાં જમા કરવામાં આવી હતી. ઈડી દ્વારા આ તપાસમાં ઇન્કમ ટેક્સ વિભાગને પણ માહિતી આપતા જોડવામાં આવ્યું છે. જેના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ હવે આ રકમની ખરાઈ કરશે. ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી કોઈ કેસ દાખલ કરવામાં નથી આવ્યો કે કોઈ ધરપકડ પણ કરવામાં નથી આવી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments