Biodata Maker

Corona Vaccination- 12 થી 14 વર્ષ સુધીના બાળકોને પણ લાગશે વેક્સીન જાણો ક્યારથી

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (12:45 IST)
દેશમાં કોરોનાના નવા વેરિએંટ (Omicron Cases in India) ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે જલ્દી જ 12-14 વર્ષના બાળકોને પણ વેક્સીન લાગશે. NTAGI ગ્રુપના ચીફ ડૉ. એન કે અરોડાએ કહ્યુ કે માર્ચથી આ બાળકોને વેક્સીન લાગશે. ઉલ્લેખનીય છે કે આ સમયે 15-17 વર્ષના બાળકોને કોરોના વેક્સીન અપાઈ રહી છે. 
 
અરોડાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 15-17 વર્ષની વયના ત્રણ કરોડથી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. જો કહેવામાં આવે તો માત્ર 13 દિવસમાં આ ઉંમરના લગભગ 45% બાળકોને રસી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીથી 15-17 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થયું હતું.
 
અરોરાએ કહ્યું, 'જાન્યુઆરીના અંત સુધીમાં, 15-17 વર્ષની વય જૂથના 7.4 કરોડ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળશે. આ પછી, ફેબ્રુઆરીની શરૂઆતથી, અમે આ બાળકોને બીજો ડોઝ આપવાનું શરૂ કરીશું અને મહિનાના અંત સુધીમાં, દરેકને રસીનો બીજો ડોઝ મળી જશે. તે પછી અમે ફેબ્રુઆરીના અંતથી અથવા માર્ચની શરૂઆતથી 12-14 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી શકીએ છીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments