Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભયાનક દુર્ઘટના - સતલુજ નદીમાં સમાય ગઈ બસ, 28 લોકોના મોત

Webdunia
ગુરુવાર, 20 જુલાઈ 2017 (12:58 IST)
શિમલાના રામપુરની પાસે એક દર્દનાક દુર્ઘટના થઈ છે. જ્યા એક પ્રાઈવેટ બસ સતલુજ નદીમાં પડવાથી 28 લોકોના મોત થયા જ્યારે કે 9 લોકો ઘાયલ થયા છે. બસમાં 37 લોકો સવાર બતાવાય રહ્યા છે. દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થવાની પણ સૂચના છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. 
 
રાહત અને બચાવ કાર્ય જોરો પર 
 
સ્થાનીક લોકો સાથે રાહત અને બચાવ કાર્ય જોરો પર ચાલી રહ્યુ છે.  પ્રારંભિક સૂચના મુજબ દુર્ઘટના સવારે લગભગ નવ વાગ્યે બની. આ પ્રાઈવેટ બસ રામપુરના ખનેરી હોસ્પિટલ પાસે નદીમાં જઈને પડી. પોલીસને અંદાજ બતાવી રહી છેકે હાલ મરનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.  ઘાયલોને ખનેરી હોસ્પિટલમાં લઈ જવામા આવી રહ્યા છે.  મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ છે.  આ ઉપરાંત મોટાભાગના લોકો નોકરિયાત હતા જે સવારે કામ પર નીકળ્યા હતા. બીજી બાજુ દુર્ઘટનાની સૂચના મળતા જ બસમાં સવાર લોકોના પરિજન પણ હોસ્પિટલમાં પહોંચી ગયા છે.  આખુ હોસ્પિટલ ચીસોથી ગૂંજી ઉઠ્યુ છે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલે અપીલ કરી છેકે રામપુરમાં થયેલ બસ દુર્ઘટનાના ઘાયલોને હોસ્પિટલ પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ. 
 
દુર્ઘટનામાં જીવતા બચ્યા ચાલક અને કંડક્ટર 
 
દુર્ઘટનામાં બસના ચાલક અને કંડક્ટર જીવતા બચી ગયા છે. તેઓ પણ ઘવાયા છે. પોલીસના જવાનોની કમીને કારણે સ્થાનીક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Poonam Pandey પૂનમ પાંડેને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ, રાખી સાવંતે કહ્યું- ડરશો નહીં, તમે મર્યા પછી જીવિત છો.

ગુજરાતી જોક્સ - તું રસોડામાં શું બનાવે છે?

ગુજરાતી જોક્સ - પંડિતજીને કામ

ગુજરાતી જોક્સ - શું લેશો?

ગુજરાતી જોક્સ - ઘર જેવો સ્વાદ

વધુ જુઓ..

નવીનતમ

Respect elders story- વડીલો માટે આદર..

Dabeli Masala- દાબેલી મસાલો કેવી રીતે બનાવશો?

લોટ બાંધતી વખતે નાખી દો આ એક સફેદ વસ્તુ, ઓગળી જશે બધી ચરબી

Maha Shivratri 2025 Recipes: બટેટા અને પીનટ ચાટ

Easy Cooking Hacks: વર્કિગ મોમને આ કિચન ટીપ્સ જાણવી જોઈએ, કામ ખૂબ જ સરળ થઈ જશે

આગળનો લેખ
Show comments