Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહારના શિક્ષણ મંત્રીએ કહ્યું, રામચરિત માનસ નફરત ફેલાવે છે, વિજય રૂપાણી બોલ્યા રાજીનામું લઈ લેવું જોઈએ

Webdunia
ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (15:39 IST)
બિહારના શિક્ષણમંત્રીના વિવાદાસ્પદ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. શિક્ષણમંત્રી ચંદ્રશેખરે રામચરિત માનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. બિહારના પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે રામચરિત માનસને સમાજમાં ભાગ પડાવનાર પુસ્તક ગણાવ્યું હતું. તેમના આ નિવેદનને લઈને રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં કહ્યું હતું કે, બિહારના શિક્ષણમંત્રી આ પ્રકારના નિવેદનો આપીને નફરત ફેલાવી રહ્યાં છે. આવા શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ.

<

Ramcharitmanas nafrat failaane wala granth hai - Education minister of Bihar pic.twitter.com/WHCxj4wkZQ

— Anil Ramesh Valmiki JCB (@AnilRameshValmi) January 12, 2023 >

બિહારના પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીમાં દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે રામચરિત માનસને નફરતનું પુસ્તક ગણાવી તે સમાજમાં ભાગલા પડાવનાર પુસ્તક છે તેવું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મનુસ્મૃતિમાં 85 ટકા વસ્તી ધરાવતા સમાજના મોચા વર્ગની વિરૂદ્ધ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રામચરિત માનસના ઉત્તરકાંડમાં લખ્યું છે કે નીચી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા પછી સાપની જેમ ઝેરી બની જાય છે. તેમણે એટલે સુધી કહ્યું હતું કે, આ એવા ગ્રંથો છે જે નફરતનું વાવેતર કરે છે. એક યુગમાં મનુસ્મૃતિ બીજા યુગમાં રામચરિત માનસ અને ત્રીજા યુગમાં ગુરૂ ગોવાલકરની વિચારધારા. આ બધા દેશ અને સમાજને નફરતમાં વહેંચી નાંખે છે. નફરત ક્યારેય દેશને મહાન નહીં બનાવી શકે. પ્રેમ જ દેશને મહાન બનાવશે.બિહારના શિક્ષણ મંત્રીના આ નિવેદનને લઈને રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, બિહારના શિક્ષણમંત્રી આવું બોલીને નફરત ફેલાવી રહ્યાં છે. આવા મંત્રી પાસેથી રાજીનામું લઈ લેવું જોઈએ.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments