Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, અલકનંદા નદીમાં પડી ગાડી, 23 લોકો ડૂબ્યા, 10 ડેડ બોડી મળી

Webdunia
શનિવાર, 15 જૂન 2024 (16:34 IST)
big accident in rudraprayag
 
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જીલ્લામાંથી એક મોટી  દુર્ઘટના સામે આવી છે. જેના મુજબ દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહેલ વાહન રૂદ્રપ્રયાગ પાસે કંટ્રોલ ગુમાવીને અલકનંદા નદીમાં પડી ગયુ છે. જેમા 23 લોકો સવાર હતા.  ગાડીમાં સવાર બધા લોકો નદીની તેજ ઘારમાં વહી ગયા. આ દુર્ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ પ્રબંધકે ડીડીઆરએફ  સહિત અન્ય ટીમ ઘટના પર પહોંચી અને રાહત બચાવ કામ શરૂ કરી દીધુ છે. નદીમા લોકોની શોધ શરૂ કરવામાં આવી છે.  નદીમાં લોકોની શોધ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 10 લોકોની લાશ જપ્ત કરવામાં આવી છે.  તો બીજી બાજુ કેટલાક લોકો ગંભીર રૂપે ઘાયલ છે. જેમની સારવાર ચાલી રહી છે.   
 
 
દુર્ઘટના પછી ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યુ, ઘાયલોને ચિકિત્સા માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં સ્થાનંતરિત કરી દેવામાં આવ્યા છે. જીલ્લા મેજીસ્ટ્રેટએ મામલાની તપાસનો આદેશ આપ્યો છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે દુર્ઘટનાનો ભોગ બનેલી ગાડી દિલ્હીના મુસાફરોને લઈને દિલ્હીથી ચોપતા તુંગનાથ જઈ રહ્યા હતા. 
 
આ કારમાં ડ્રાઈવર સહિત 23 લોકો સવાર હતા. તમામ મૃતકોની હજુ પુષ્ટિ થઈ નથી. જો કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોત થઈ શકે છે. આ અકસ્માત બદ્રીનાથ હાઈવેના રેંટોલી પાસે થયો હતો. એસડીઆરએફ અને પોલીસ ટીમ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ટીમે બે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી દીધા છે.
 
આ ઘટના અંગે રુદ્રપ્રયાગના એસપી ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે, માહિતી મળી છે કે રુદ્રપ્રયાગના રંટોલી પાસે હાઈવે પરથી એક ટેમ્પો ટ્રાવેલર ખાડામાં પડી ગયો છે. આ અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. વાહન પડી જતાં નદીમાં વહી ગયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments