Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઔરંગબાદ દુર્ઘટના - ઘરે પરત જવાની આશામાં રેલના પાટા પર જ નીકળી ગયો મજૂરોનો જીવ

Webdunia
શુક્રવાર, 8 મે 2020 (08:16 IST)
કોરોના વાયરસના સંકટ અને લૉકડાઉનને કારણે દેશના જુદા જુદા સ્થાનો પર પરપ્રાંતિય મજૂર ફંસાયા છે. દરેકને પોતાના ઘરે જવાની ઉતાવળ છે. પરંતુ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આ કામદારોને ક્યાં ખબર હતી કે તેમના ઘરે પાછા ફરવાની આશા રેલવે પાટા પર જ મરી જશે. હકીકતમાં, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક દુ: ખદ અકસ્માત સર્જાયો છે, જ્યાં એક ટ્રેન ટ્રેક પર સૂતાં મજૂરોને માલગાડીએ કચડી નાખ્યા. આ અકસ્માતમાં લગભગ 14 પરપ્રાંતિય મજૂરોનાં મોત નીપજ્યાં છે અને 5 જેટલા ઘાયલ થયા છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે પગપાળા ઘરે પરત ફરતા પરપ્રાંતિય મજૂરો રેલ્વે ટ્રેક પર સૂઈ રહ્યા હતા. પછી અચાનક માલગાડી તેમની ઉપરથી પસાર થઈ. સવારના સમયે ઉંડી ઉંઘમાં હોવાથી કોઈને કંઈ હોશમાં આવવાની તક મળી નહીં અને તેમના ઘરે પાછા ફરવાની આશાઓ તૂટી ગઈ.
ઔરંગાબાદમાં જાલના રેલ્વે લાઇન નજીક આ અકસ્માત થયો હતો. દક્ષિણ મધ્ય રેલ્વે (એસસીઆર) ના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત ઔરંગાબાદના કરમદ નજીક થયો હતો. માલગાડીના ખાલી રૈકએ  કેટલાક લોકોને ચગડી નાખ્યા છે. ઘટના સ્થળ પર આરપીએફ અને સ્થાનિક પોલીસ સ્થળ ઘટના સ્થળ પર પહોંચી છે અને રાહત-બચાવની  કામગીરી ચાલુ છે.
 
દક્ષિણ મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે અને 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ઔરંગાબાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે।  
 
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની રોકથામ માટે સરકારે માર્ચના અંતિમ અઠવાડિયામાં લોકડાઉનની જાહેરાત કરી હતી. આ પછી લાખો પરપ્રાંતીય મજૂરો વિવિધ રાજ્યોમાં અટવાઈ ગયા હતા. આ પછી, ઘણા કામદારો પગપાળા ઘરે જવા રવાના થયા હતા. જો કે, ત્રીજા તબક્કાના લોકડાઉન જાહેર થયા પછી, કેન્દ્ર સરકારે મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં લઈ જવા માટે ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી છે. રેલ્વેએ અત્યાર સુધીમાં એક લાખથી વધુ મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments