Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૈનિકોની લાશ સાથે બર્બરતા પર જેટલી બોલ્યા - સેના પર વિશ્વાસ રાખો

Webdunia
ગુરુવાર, 4 મે 2017 (12:12 IST)
રક્ષા મંત્રી અરુણ જેટલીએ પાકિસ્તાનના એ દાવાને રદ્દ કરી દીધા છે જેમા પાકિસ્તાને ભારતીય જવાનો સાથે બર્બરતા પાછળ પાકિસ્તાનની સેનાનો હાથ હોવાથી ઈનકાર કર્યો છે.  જેટલીએ કહ્યુ કે પાકિસ્તાનના ઈનકાર પર વિશ્વાસ કરવાનુ કોઈ કારણ નથી. પાક. સેનાની મદદ વગર આ શક્ય નથી. સાથે જ રક્ષા મંત્રીએ લોકોને ભારતીય સેના પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. જેમા પહેલા બુધવારે ભારતે પાક. ઉચ્ચાયુક્તને જવાનો સાથે થયેલી કાયરાના હરકતમાં પાક સેનાનો હાથ હોવાના પૂરતા પુરાવા આપ્યા. સાથે જ જવાબદાર કમાંડો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. 
 
 
ઉલ્લેખનીય છે કે, આ મામલે ક્રોધિત ભારતે બુધવારે બપોરે પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિતને સમન મોકલ્યું અને બે ભારતીય સૈનિકોને મારવામાં પાકિસ્તાની સેના સામેલ છે તેના પૂરતા સબૂત આપ્યા. ભારતે 1 મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર કૃષ્ણા ઘાટી સેક્ટરમાં થયેલા ક્રર કૃત્યને અંજામ આપનારાઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ જણાવ્યું કે, વિદેશ સચિવ એસ જયશંકરે પાકિસ્તાની સેના દ્વારા 1 મેના રોજ બે ભારતીયોને મારવામાં અને તેમના શવ સાથે બર્બરા કરવા પર ભારતની નારાજગી જાહેર કરવા બાસિતને સમન્સ મોકલ્યું છે.
 
ભારતે પાકિસ્તાનને એમ પણ કહ્યું કે, સૈનિકોના મારવું એ ઉકસાવવાની બાબત છે અને સભ્ય આચરણના તમામ માપદંડોને વિપરીત છે. બાગલેએ કહ્યું કે, આ વાત મહત્ત્વપૂર્ણ છે કે, હુમલાને બટ્ટલ ગામના અંતર્ગત આવનારા બટ્ટલ સેક્ટરમાં પાકિસ્તાની ચોકીઓથી આવી રહેલી ગોળીબારીની આડમાં અંજામ આપ્યું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments