Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય સેનાની કાર્યવાહીથી પાકને જોરદાર નુકશાન, 11ના મોત

Webdunia
બુધવાર, 23 નવેમ્બર 2016 (15:04 IST)
પાકિસ્તાન સેના દ્વારા માછિલમાં ત્રણ શહીદ ભારતીય જવાનોના શબ સાથે કરવામાં આવેલ બર્બરતાથી ક્રોધિત ભારતીય સેનાએ પાકિસ્તાનને આ કાયર હરકતનો કરારો જવાબ આપ્યો છે.  જવાબી કાર્યવાહીના હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનની અનેક ચોકિયોને નિશાન બનાવતા ભારે હથિયારોથી ગોળીબારી કરી છે. આ કાર્યવાહીમાં સીમા પાર જોરદાર નુકશાન થયુ છે. જેની ચોખવટ ખુદ પાકિસ્તાનના એક અંગ્રેજી છાપાએ કરી છે. 
 
પાકિસ્તાની છાપુ ધ ડોન મુજબ ભારતે લવાત એરિયામાં બુધવારે ફાયરિંગ કરી. મોર્ટાર પણ છોડ્યા. આ દરમિયાન એક બસ પણ તેની ચપેટમાં આવી ગઈ. જેમા 11 લોકોના મોત થઈ ગયા અને 11 અન્ય ઘાયલ થઈ ગયા. આ અગાઉ પાકિસ્તાને બુધવારે સવારે પાંચ સ્થાન પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘન કર્યુ. જો કે અત્યાર સુધી આ ફાયરિંગમાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી. પાકિસ્તાની વેબસાઈટ ધ ડોન મુજબ. 
 
ભારતીય સેનાની આ કાર્યવાહીની માહિતી આપતા ઉત્તરી કમાંડના બ્રિગેડિયર એક ગોત્રાએ જણાવ્યુ કે પાક સૈનિકો દ્વારા એક ભારતીય જવાનનુ માથુ કાપવાની કાયરતા ભરી હરકત પછી ભારતે પણ જોરદાર કાર્યવાહી કરી છે.  આ કાર્યવાહી સીમા પાસે આવેલ માછેલ સેક્ટરમાં કરવામાં આવી છે. સેનાના પીઆરઓ મનીષ મેહતા મુજબ પાકિસ્તાને એલઓસી પાસે ભિંબેર ગલી, કૃષ્ણા ઘાટી અને નૌશહરા સેક્ટરમાં ગોળીબારી કરી હતી. 
 
આ દરમિયાન ત્રણ ભારતીય જવાબ શહીદ થઈ ગયા હતા. જેમા એક જવાનનુ પાક સૈનિકોએ માથુ કાપીને પણ તેની સાથે બર્બરતા કરી હતી. બે મહિનામાં આ બીજીવાર છે જ્યારે પાક સૈનિકોએ આ રીતે કાયરતા ભરી હરકત કરી હોય.  ત્યારબાદથી જ ભારતીય જવાનોમાં આક્રોશ છે. સરકારે પણ આનો બદલો લેવાની ખુલ્લી છૂટ સૈનિકોને આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બુધવારે લોકોને પોતાની સેના પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments