rashifal-2026

#AmritsarTrainAccident - રાવણનો રોલ કરનાર દલબીરનુ પણ ટ્રેનથી કપાઈને મોત

Webdunia
શનિવાર, 20 ઑક્ટોબર 2018 (12:31 IST)
પંજાબના અમૃતસરમાં દશેરા જોઈ રહેલ લગભગ 70થી વધુ લોકોની રેલગાડીની ચપેટૅમાં આવતા મોત થયુ. જ્યારે કે 40થી વધુ ઘાયલોની સ્થિતિ ગંભીર છે. 
 
બીજી બાજુ આ દુર્ઘટનામાં એ વ્યક્તિનુ પણ ટ્રેનથી કપાઈને મોત તહ્યુ જે રામલીલામાં રાવણનુ પાત્ર ભજવતો હતો. એવુ કહેવાય રહ્યુ છે કે જે સમયે રાવણનુ પુતળુ બળી રહ્યુ હતુ ઠીક એ જ સમયે રાવણ બનેલ દલબીર સિંહનુ ટ્રેનથી કપાઈને મોત થયુ. આ ઘટના પછી દલબીરના પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યુ છે. દુર્ઘટના માટે પરિવારે સ્થાનિક સરકારને જવાબદાર ઠેરવી છે. 
કેવી રીતે થઈ દુર્ઘટના 
 
શુક્રવારે જોડા ફાટક નિકટ આવેલ રેલલાઈનની નિકટ વિજયાદશમીના તહેવાર પર રાવણનુ પુતળુ સળગાવવામાં આવી રહ્યુ હતુ. એ દરમિયાન સેકડોની સંખ્યામાં મહિલા બાળકો અને લોકો આ દ્રશ્યને જોઈ રહ્યા હતા. તેઓ બધા આ વાતથી બેખરબ હતા કે થોડી ક્ષણમાં જ તેમનો હર્ષોલ્લાસ માતમમાં બદલાય જશે.  ત્યારે ત્યાથી જાલંધરથી અમૃતસર જઈ રહેલ ડીએમયૂ રેલગાડી તેજ ગતિથી પસાર થઈ અને તેણે પાટા પર ઉભા રહીને દશેરા નિહાળી રહેલ લોકોને પોતાની અડફેટમાં લીધા. આ લોકોને ફટાકડાની અવાજમાં રેલગાડીના આવવાનો અહેસાસ પણ ન થયો.  આ દરમિયાન અનેક લોકો રાવણના પુતળા દહનનુ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમરામાં કેદ કરવામાં મશગૂલ હતા અને અચાનલ રેલગાડીએ તેમને રગદોળી નાખ્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

આગળનો લેખ
Show comments