Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેન્નાઈમાં ઍરફૉર્સના કાર્યક્રમ દરમિયાન ચારનાં મૃત્યુ

Webdunia
સોમવાર, 7 ઑક્ટોબર 2024 (17:59 IST)
Air Force Program in Chennai-  ચેન્નાઈના મરીના બીચ ખાતે ભારતીય વાયુદળ દ્વારા ઍર શૉનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.
 
રવિવારે ઇન્ડિયન ઍરફૉર્સના 92મા સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમને નિહાળવા માટે લાખોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
 
બપોરે એક વાગ્યે કાર્યક્રમ સમાપ્ત થયો ત્યારે ત્યાં હાજર રહેલી ભીડને તત્કાળ હઠાવવાનો પ્રયાસ થયો હતો, જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
 
મીડિયા રિપોર્ટસ મુજબ, લૂ લાગવા અને ડિહાઇડ્રેશનને કારણે લગભગ 200 લોકો બેભાન થઈ ગયા હતા. 90થી વધુ લોકોને સરકારી હૉસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા હતા, જ્યારે ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 
એવું પણ કહેવાય છે કે વધારે પડતા થાક તથા અન્ય કારણોસર પણ આ લોકોનાં મૃત્યુ થયાં હોઈ શકે છે.
 
ચેન્નાઈના વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકતા સમાચાર સંસ્થા પીટીઆઈ નોંધે છે કે એક વ્યક્તિનું મૃત્યુ મરીના બીચ ખાતે થયું હતું. એ સિવાયનાં મૃત્યુ અન્ય સ્થળોએ થયાં હતાં. આ લોકો પણ મરીના બીચ ખાતે ઍર શૉ જોવા પહોંચ્યા હતા.
 
તામિલનાડુમાં વિપક્ષના નેતા અને એઆઈએડીએમકેના વડા એ. કે. પલાનીસ્વામીએ આ ઘટના માટે રાજ્યની ડીએમકે સરકારને જવાબદાર ઠેરવી છે.
 
તેમણે સરકારની ઉપર આટલા મોટા આયોજન માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરી શકવાનો આરોપ મૂક્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભાયલી 72 કલાક બાદ 45 કિલોમીટરના રૂટની તપાસ, 1100 CCTVનું સ્કેનિંગ, વડોદરા પોલીસે ગેંગરેપના આરોપીની ધરપકડ કરી

સંજય રોય હતો જેણે બળાત્કાર કર્યો અને પછી હત્યા કરી; કોલકાતા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી

PM Modi Garba geet- પીએમ મોદીએ નવરાત્રીના અવસર પર ગરબા ગીત લખ્યું, શેર કર્યું: Video

ગુજરાતમાં કપાસનું વાવેતર વિસ્તાર વધ્યો, બે દાયકામાં ઉત્પાદકતામાં 459 કિલોનો વધારો થયો

રતન ટાટાએ કહ્યુ - હુ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ છુ, અફવાઓ પર ધ્યાન ન આપો

આગળનો લેખ
Show comments