Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, દુર્ઘટનામાં 7 લોકોના મોત

Webdunia
શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (08:59 IST)
Fire in Goregaon West
 મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં જય ભવાની નામની 5 માળની ઈમારતમાં ગુરુવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. શુક્રવારે સવારે લગભગ 7 વાગ્યે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનોમાં તેમજ પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

<

#UPDATE | Mumbai | Goregaon fire: From the total of 51 injured persons, 7 deaths have been reported so far. Whereas the condition of 5 is critical, 35 persons are being treated and 4 of the injured people have been discharged. https://t.co/VZMGlTEorV

— ANI (@ANI) October 6, 2023 >
 
આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા
 
ફાયર વિભાગની 10 ગાડીઓએ ભારે જહેમત બાદ ગોરેગાંવ વેસ્ટની જય ભવાની નામની બિલ્ડીંગમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આ ભીષણ આગમાં લગભગ 39 લોકો હજુ પણ ઘાયલ છે અને 7 લોકોના મોત થયા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને HBT હોસ્પિટલ અને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

<

7 Dead, 39 Injured After Massive Fire Breaks Out In Goregaon, Mumbai Building

Some live visuals #Mumbai #fire pic.twitter.com/8yKWHImu82

— Harsh Patel (@Harshpatel1408) October 6, 2023 >
 
BMCએ આપી આ જાણકારી 
 
BMCના અધિકારીઓએ જણાવ્યું કે અમને ગઈકાલે મોડી રાત્રે એક ઈમારતમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. જે બાદ અમે તાત્કાલિક અમારા વાહનોને સ્થળ પર મોકલી દીધા. મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એક 5 માળની ઈમારતમાં લેવલ 2માં આગ ફાટી નીકળી હતી. તમામ ઘાયલ લોકોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આગ પર હવે સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments