Webdunia - Bharat's app for daily news and videos

Install App

બૂમો પાડતો રહ્યો 7 વર્ષનો બાળક, ગંગામાં બાળકને ડુબકી લગાવતા રહ્યા માતા-પિતા, થયુ દર્દનાક મોત

Webdunia
ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (11:56 IST)
7-year-old repeatedly dipped in Ganga

-  બાળકને બ્લડ કેંસર હતુ
-  માતા-પિતાને આશા હતી કે ગંગામાં ડુબકી લગાવવાથી તેમનુ બાળક સારુ થઈ જશે
-  આસપાસ ઉભેલા લોકોએ બાળકની ચીસો સાંભળીને મહિલાને રોકવાનો પ્રયત્ન પણ કર્યો
 
Haridwar News: હરિદ્વારમાં એક ખૂબ જ દિલ દહેલાવી દેનારી ઘટના સામે આવી છે.  જ્યા માતા-પિતાએ પોતાના જ સાત વર્ષના બાળકને વારેઘડીએ ગંગામાં ડુબાડીને મારી નાખ્યો. આ બાળકને બ્લડ કેંસર હતુ. માતા-પિતાને આશા હતી કે ગંગામાં ડુબકી લગાવવાથી તેમનુ બાળક સારુ થઈ જશે. બાળક ચીસો પાડતુ રહ્યુ પણ તેઓ હરની પૌડી પર મંત્રોનો જાપ કરતા રહ્યા. જ્યારબાદ તેનુ મોત થઈ ગયુ. 

<

#Haridwar

अंधविश्वास ने एक 7 साल के बच्चे की जान ले ली ...!!

ब्लड कैंसर से पीड़ित बच्चे को उसकी मौसी ने चमत्कार की आस में करीब पांच मिनट तक गंगा में डुबकियां लगवा दीं ....!!

बच्चे की मौत हो गई है ....!! pic.twitter.com/kLCPcHsIY8

— Firdaus Fiza (@fizaiq) January 24, 2024 >
 
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે ગંગામાં ડુબકી લગાવવાથી કેંસર ઠીક થવાની આશામાં માતા-પિતાએ તેને વારેઘડીએ ગંગામાં ડુબકી લગાવડાવી જેને કારણે તેનુ મોત થઈ ગયુ. પોલીસે કહ્યુ કે બાળકના માતા પિતા હર કી પૌડીના કિનારે મંત્રોનો જાપ કરતા રહ્યા જ્યારે કે બાળકની માસી તેની ચીસોને નજરઅંદાજ કરીને તેને વારેઘડીએ ગંગામાં દુબકી લગાવડાવી રહી હતી જેનાથી તેનો શ્વાસ રૂંધાય જવાથી તેનુ મોત થઈ ગયુ. 
 
બાળકને વારેઘડીએ ડુબકી લગાવડાવી 
 
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે આસપાસ ઉભેલા લોકોએ બાળકની ચીસો સાંભળીને મહિલાને રોકવાનો પ્રયત્ન પણ કર્યો પણ તેણે કોઈની વાત ન સાંભળી અને તે સતત બાળકને ગંગામાં ડુબકી લગાવતી રહી. આ ઘટના પછી ત્યા હાહાકાર મચી ગયો. લોકોએ જ્યા સુધી તે મહિલાને રોકી ત્યા સુધી ઘણુ મોડુ થઈ ગયુ હતુ. બાળકનો જીવ જઈ ચુક્યો હતો. 
 
હર કી પૌરી પોલીસ સ્ટેશનના પ્રભારી ભાવના કૈંથોલાએ જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે બાળકના માતા-પિતા અને કાકીને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેણે જણાવ્યું કે બાળક બ્લડ કેન્સરથી પીડિત હતો અને દિલ્હીમાં તેના માતા-પિતા સાથે રહેતો હતો. બાળકના સ્વસ્થ થવાની આશામાં પરિવાર તેને ગંગામાં ડૂબકી મારવા માટે લાવ્યો હતો.  તેણે જણાવ્યું કે બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. તેમણે કહ્યું કે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments