Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ ઍન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓનાં મોત

Webdunia
ગુરુવાર, 18 જુલાઈ 2024 (10:51 IST)
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં થયેલાં પોલીસ એન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓ માર્યા ગયા છે.
 
આ ઍન્કાઉન્ટર છત્તીસગઢ અને મહારાષ્ટ્રના બૉર્ડરવાળા વિસ્તારમાં થયું.
 
આ ઍન્કાઉન્ટર ગઢચિરૌલીના ઝારવંડી પોલીસ સ્ટેશન હેઠળ આવતા છિંદભટ્ટી અને છત્તીસગઢના કાંકેર પોલીસ સ્ટેશન વચ્ચે આવેલા જંગલોમાં બુધવારે બપોરે દોઢથી બે વાગ્યા દરમિયાન થયું હતું.
 
અહેવાલો પ્રમાણે, આ ઍન્કાઉન્ટરમાં એક પોલીસકર્મીને પણ ગોળી લાગી હતી. સમાચાર એજન્સીઓની માહિતી પ્રમાણે બપોરે શરૂ થયેલું આ ઍન્કાઉન્ટર મોડી સાંજ સુધી ચાલ્યું હતું.
 
છત્તીસગઢ પોલીસે એક નિવેદનમાં કહ્યું, “બંને પક્ષો વચ્ચે છ કલાક સુધી ગોળીબાર થયો. ત્યારબાદ આ વિસ્તાર સર્ચ કરવામાં આવ્યો. આ સર્ચ દરમિયાન 12 માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઉપરાંત ત્રણ એકે-47, એક કાર્બાઇન, એક એસએલઆર સહિત સાત ઑટોમેટિક હથિયારો મળી આવ્યા હતા.”
 
મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે માઓવાદીઓ સાથેના ઍન્કાઉન્ટરમાં 12 માઓવાદીના મોતની જાણકારી આપી હતી.
 
તેમણે મહારાષ્ટ્ર સરકાર તરફથી ગઢચિરૌલી પોલીસ માટે 51 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments