Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલબીરનો પાક. પર હુમલો, 25 કરોડ આપ્યા હોત તો સરબજીત જીવતો હોત !!

Webdunia
ગુરુવાર, 2 મે 2013 (13:07 IST)
P.R
સરબજીતની બહેન દલબીરે આજે પાકિસ્તાનને લાનત મોકલતા કહ્યુ કે અંસાર બર્નીએ સરબજીતની મુક્તિ માટે માંગેલા 25 કરોડ રૂપિયા. દલબીરે પાકિસ્તાનને લલકારતા કહ્યુકે તે એ સરબજીતો માટે લડતી રહેશે જે પાક. જેલમાં વર્ષોથી કેદ છે. તેમણે કહ્યુ કે જોઉ છુ તાલિબાન મારુ શુ બગાડી લે છે.

તબિયત પૂછતા હસતા હતા ડોક્ટર

દલબીરે આજે મીડિયામાં દિલ્હીમાં કહ્યુ કે સરબજીતની સાથે જ કંઈક થયુ છે તે એક હિન્દુસ્તાની હોવાને કારણે થયુ છે. તેમણે કહ્યુ કે તે વર્ષ 2005થી કહેતી આવી છે કે નિર્દોષને સજા નથી થતી તેની હત્યા થાય છે. એ જ આજે પાકિસ્તાને કરી બતાવ્યુ છે. તેમણે કહ્યુ કે લાહોરના જિન્હા હોસ્પિટલમાં મારા દ્વારા પૂછતા ત્યાના નર્સ અને ડોક્ટરો હ્સતા હતા. મને તેમનુ હાસ્ય જોઈએન લાગતુ હતુ કે તેઓ કંઈક છુપાવી રહ્યા છે. તેમને જાણ હતી કે સરબજીત તો જીવતો જ નથી. એ તો પહેલા જ મરી ચુક્યો છે. આજે આખા હિન્દુસ્તાને એક થવાની જરૂર છે.

પાકને જ્કવાબ આપવાનો સમય આવી ગયો છે

દલબીરે પાકિસ્તાન પર હુમલો કરતા કહ્યુ કે પહેલા અટલ બિહારી વાજપેયીની પીઠમાં પાકિસ્તાને છરો માર્યો હતો અને આજે દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહની પીઠ પર માર્યો છે. આ સમયે દેશના લોકોએ સમજી લેવુ જોઈએ કે પાક ક્યારેય સુધરવાનુ નથી. જવાબ આપવનો સમય આવી ગયો છે. જો પ્રયત્ન યોગ્ય હોત તો આજે સરબજીત બચી ગયો હોત. તેમણે કહ્યુ કે પાકિસ્તાન કાયર છે. બેકસૂર સરબજીતની હત્યા કરવામાં આવી છે. હુ બર્નીને 25 કરોડ આપતે તો સરબજીત અહી હોત. અંસાર બનીએ કહ્યુ હતુ કે સવારે 25 કરોડ આપો સાંજે સરબજીતને લઈ જાવ. તેમણ કહ્યુ કે સરબજીતના મોતની તપાસ થવી જોઈએ.

સરબજીતને શહીદનો દરજ્જો મળ ે.

દલબીરે જણાવ્યુ કે ગૃહમંત્રી શિંદેએ વિશ્વાસ આપ્યો છે કે આની તપાસ થશે. તેમણે કહ્યુ કે સરકારી રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદનો દરજ્જો મળશે. સરબજીતની સામે આ બધુ થયુ હોત તો અમને ખુશી થતી. સમય મને ગભરાવે છે. પાકિસ્તાનનુ કોઈ નામ લેતુ હતુ તો મને બીક લાગતી હતી. કોઈ મોબાઈલ પર મેસેજ આવતો તો હુ ગભરાય જતી હતી. 23 વર્ષ સુધી જેલમાં નરક ભોગવી અને આજે તેની હત્યા કરવામાં આવી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

વધુ જુઓ..

નવીનતમ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Show comments