Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાશ્મીર પર અપાયેલા નિવેદનથી નારાજ હિન્દુ રક્ષા દળે AAP ઓફિસ પર કર્યો હુમલો

Webdunia
બુધવાર, 8 જાન્યુઆરી 2014 (15:06 IST)
P.R
આમ આદમી પાર્ટીના ગાઝિયાબાદમાં કૌશાંબી સ્થિત કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને હિન્દુ રક્ષા દળ અને શ્રીરામ સેનાએ અંજામ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આપના નેતા પ્રશાંત ભૂષણના કાશ્મીર પર આપેલા નિવેદનના વિરોધમાં હિન્દુ રક્ષા દળ અને શ્રીરામ સેનાના કાર્યકર્તાઓના કાર્યાલયમાં હુમલો કર્યો.આશરે 50 કાર્યકર્તાઓએ કાર્યાલયમાં ઘૂસીને હુમલો કર્યો અને ભારે તોડફોડ કરી. પછીથી પોલીસે અહીં પહોંચીને સ્થિતિને સંભાળી લીધી છે.

આપના નેતા કુમાર વિશ્વાસે ભારતીય જનતા પાર્ટીની તરફ ઈશારો કરતા કહ્યું છે કે આ હુમલો કોણે કરાવ્યો છે તે સૌ કોઈ જાણે જ છે. વિશ્વાસે કહ્યું કે પ્રશાંત ભૂષણના કાશ્મીર નિવેદનથી તેઓ પોતે સંમત નથી. પરંતુ આ રીતની કાર્યવાહીથી સાબિત થઈ ગયું છે કે ભાજપ શું ઈચ્છે છે.

તેમણે કહ્યું કે ભાજપ ગુંડાગીરી પર ઉતરી આવી છે. દેશ જોઈ રહ્યો છે અને જવાબ આપશે. કાશ્મીર પર પ્રશાંતના નિવેદનને લઈને બે વર્ષ પહેલા તેમની પર હુમલો થઈ ચૂક્યો છે. આ વખતે આપના કાર્યાલય પર હુમલો કર્યો છે. કેટલાક દિવસ પહેલા જ પ્રશાંતે એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂહ દરમ્યાન કહ્યું હતું કે કાશ્મીરમાં તે સ્થળો પર સેના લગાવવાની પહેલા સ્થાનીક લોકોની સેનાની ગોઠવણને માટે પૂછવું જોઈએ, જ્યાં શાંતિ થઈ ચૂકી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

Show comments