Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયુ ને લઈને મુંબઈથી ગુજરાત સુધી હડકંપ, મુંબઈમાં જોવા મળી વાયુની ઝલક

Webdunia
બુધવાર, 12 જૂન 2019 (12:32 IST)
અરબ સાગરમાં બનેલ ચક્રવાતી તોફાન વાયુ ગુરૂવારે ગુજરાત સાથે ટકરાશે. મોસમ વિભાગનુ અનુમાન છે કે આ તોફાન ગંભીર ચક્રવતી તોફાનનુ રૂપ લઈ શકે છે. હાલ આ ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતની તરફ ઝડપથી વધી રહ્યુ છે. 
તોફાન આવવા પહેલા જ તટીય વિસ્તારમાં તેને અસર જોવા મળી છે. મુંબઈ, દમણ-દિવ, વલસાડ, વેરાવળ, પોરબંદર મહુવામાં ઝડપી વરસાદ સાથે હવાઓ શરૂ થઈ છે. 
 
ગુજરાતમાં વાયુ વાવાઝોડાની ઝડપ 140-150 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઇ શકે છે. તેનો લેન્ડફોલ સૌરાષ્ટ્ર તટની નજીક હોવાની અનુમાન છે. હજુ વાવાઝોડું પોતાની હાલની સ્થિતિથી ઉત્તરની તરફ સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવાની વચ્ચે વધી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર કાચા મકાનો અને જર્જરિત બિલ્ડિંગ, અને વીજળી સપ્લાયને અસર થઇ શકે છે. સાથો સાથ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની આશંકા વ્યક્ત કરાઇ છે.
ચક્રવાતી તોફાનના ગંભીર પ્રભાવને જોતા NDRFની 36 ટીમો ગુજરાતમાં ગોઠવાઈ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરલમાં પણ બચાવ દળ એક્ટિવ  છે. 
મોસમ વિભાગ મુજબ 100 કિમીની ગતિથી વધી રહેલ વાયુ તુફાન 13 જૂનની સવારે ગુજરાતના પોરબંદર અને મહુવા વિસ્તારમાં તબાહી મચાવી શકે છે. આ તોફાનની ગતિ 120થી 135 કિમી રહી શકે છે. 
 
ગૃહ મંત્રી અમિત શાહે કેબિનેટ સચિવ પીકે સિન્હા સાથે તૈયારીઓની સમીક્ષા કરી છે. ગુજરાત અને દીવ માટે એડવાઈઝરી રજુ કરવામાં આવી છે. જેમા ગુજરાત સરકાર અને દીવ પ્રશાસનને દરેક વ્યક્તિને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાનો આદેશ આપ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

આગળનો લેખ
Show comments