Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mahashivratri 2022 ભૂલથી પણ શિવલિંગ પર આ વસ્તુઓ ન ચઢાવવી

Webdunia
શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (01:17 IST)
1 માર્ચ મંગળવાર મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાશે. મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે ખૂબ મહત્વનો છે. શિવરાત્રિ પર શિવ ભક્ત ભગવાન શિવને પ્રસન્ન કરવામાટે ઉપવાસ રાખે છે અને પૂણ ભક્તિભાવથી શિવજીની પૂજા અને આરાધના કરે છે. પણ ભૂલવશ શિવજીને પ્રસન્ન કરવા માટે કેટલીક એવી ભૂલો કરે છે જેનાથી તેમની પૂજા થઈ શકતી નથી.
શાસ્ત્રોમાં એવી કેટલીક વસ્તુઓ વિશે બતાવ્યુ છે જેનો ભગવાન શિવની પૂજામાં વપરાશ ન કરવો જોઈએ.
 
-શંખથી જળ: શિવલિંગના અભિષેક કરતા કે શિવપૂજામાં ક્યારે પણ શંખથી પૂજન નહી કરવું જોઈએ. કારણકે ભગવાન શિવએ શંખચુંડ નામના અસુરનો વધ કર્યો હતો. તેથી શંખને તે અસુરનું પ્રતિક માનવામાં આવે છે માટે વિષ્ણ ભગવાનની પૂજા શંખથી થાય છે શિવની નહિ.
- ભગવાન શિવને સફેદ ફૂલ ખૂબ પસંદ હોય છે. પણ કેતકીનુ ફૂલ સફેદ હોવા છતા શિવજીને ન ચઢાવવુ જોઈએ.
શિવ પુરાણ મુજબ કેતકીના ફૂલે ખોટુ બોલ્યુ હતુ તેથી શિવજીએ તેને પૂજાથી વર્જિત કરી દીધુ
-હળદર- હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુઅ અને સૌભાગ્યથી છે. આ કારણે તે ભગવાન શિવને ચડાવવામાં આવતું નથી.
- ભગવાન શિવની પૂજામાં તુલસીનો પાનનો પ્રયોગ પણ વર્જિત માનવામાં આવ્યો છે. ભગવાન શિવે દેવી વૃંદાના પતિ જલંધરનો વધ કર્યો હતો. દેવી વૃંદા જ તુલસીના રૂપમાં અવતરુત થઈ હતી. જેને ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી જેવુ સ્થાન આપ્યુ છે તેથી શિવજીની પૂજામા તુલસીને વર્જિત માનવામાં આવે છે.
- શિવની પૂજામાં તલ ચઢાવવામાં આવતા નથી. તલ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા એવુ માનવામાં આવે છે. તેથી ભગવાન વિષ્ણુને તલ અર્પિત કરવામાં આવે છે. પણ શિવજીની ચઢતા નથી.
- કણકી ચોખાઃ ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. અક્ષતનો મતલબ હોય છે અતૂટ ચોખા જે પૂર્ણતાનું પ્રતીક છે. તેથી શિવજીને અક્ષત ચઢાવતી વખતે ધ્યાન રાખો કે ચોખા તૂટેલા તો નથી ને.
-નારિયેળ પાણી- નારિયેળ દેવી લક્ષ્મીનો પ્રતીક ગણાય છે જેમનો સંબંધ વિષ્ણુ સાથે છે તેથી શિવજીને નારિયેળ પાણી ચઢતું નથી.  
- કંકુ - કુમકુમ સૌભાગ્યનો પ્રતીક છે તેથી શિવપૂજામાં કંકુનો પ્રયોગ વર્જિત છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments