Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર હૂમલો, ટોળે વળેલા લોકોને વિખેરવા પોલીસનો હળવો લાઠીચાર્જ

Webdunia
મંગળવાર, 12 જૂન 2018 (11:26 IST)
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર નાના વરાછા સ્થિત તેમના નિવાસસ્થાનની બહાર જ 5 યુવાનોએ હુમલો કર્યો હતો. સોમવારે સાંજે સાડા સાત વાગ્યે બનેલી આ ઘટનામાં તું પાટીદારોનો ડોન બની ગયો છો તેમ કહી હુમલો કરાયો હતો. ઘટનાને પગલે યોગીચોકમાં ટોળા ભેગા થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. હુમલાખોરો ભાજપના અસામાજિક તત્ત્વો હોવાનો આરોપ પાસના આગેવાનોએ લગાવ્યો છે. અલ્પેશ કથીરિયા સાંજે સાત- સાડા સાત વાગ્યે પોતના ઘરે હતા તે વખતે ડસ્ટર કારમાં 5 યુવાનો તેમના ઘર નજીક પહોંચી ગયા હતા. ત્યાંથી એક યુવાને ફોન કરી અલ્પેશને તારું કામ છે તેમ કહી ઘરની બહાર બોલાવ્યો હતો. જેવો અલ્પેશ ઘરની બહાર આવ્યો કે તુરંત જ તેમના મોઢા પર ફેટ મારી દીધી હતી. અલ્પેશ કથીરિયાએ ભાગવાનો પ્રયાસ કર્યો તો પાંચમાંથી એક યુવાને ચપ્પુ મારી દીધું હતું. જોકે, ચપ્પુના કારણે સામાન્ય ઇજા થઈ હતી. હુમલાખોરોમાં અભી જીરાવાળા, દત્તો કચ્છીનાં નામો જાહેર થયા છે. જેની સાથે અન્ય ત્રણ અજાણ્યા હતા. પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા પર તેમના ઘર નજીક જ હુમલો થયો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં પાસના આગેવાનો અને કાર્યકરોનાં ટોળાં એકત્ર થઈ ગયા હતા. અલ્પેશને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અલ્પેશના ભાઇએ ભાડે આપેલા કેમેરાના ભાડા અંગે વિવાદ થતાં હુમલો કરાયો છે. ઘટનાને પગલે યોગીચોકમાં ટોળા ભેગા થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પાસના ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલે ટ્વિટ કરી આ ઘટનાને શરમજનક ગણાવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments