Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન, પઠાણ અને પંડ્યા બંધુઓને આપ્યું હતું કોચિંગ

Webdunia
ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (14:21 IST)
jasmin nayak
- જસ્મીન નાયકે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું.
- હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું
-  જસ્મીન નાયકનું નિધન થતાં ક્રિકેટ ચાહકોને વધુ એક આંચકો

વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું 67 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તેમણે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું.હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું, ત્યારે હવે પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન થતાં ક્રિકેટ ચાહકોને વધુ એક આંચકો લાગ્યો છે. તેઓ શહેરના પંચામૃત ફ્લેટમાં રહેતા હતા.

જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા.તેમણે ઇરફાન અને યુસુફ પઠાણ તેમજ હાર્દિક અને કૃણાલ પંડ્યાને કોચિંગ આપ્યું હતું. જસ્મીન નાયકે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેમણે 21 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. તેમનો જન્મ 21 ઓગસ્ટ 1956ના રોજ મહારાષ્ટ્રના વિરારમાં થયો હતો.

ભારતીય ક્રિકેટ જગતના અગ્રણી અને પૂર્વ ક્રિકેટર ડી.કે. ગાયકવાડનું 13મી ફેબ્રુઆરીએ 95 વર્ષની  વયે નિધન થયું હતું. દત્તાજીરાવ ગાયકવાડનો જન્મ 1928ની 27 ઓક્ટોબરે થયો હતો. તેઓ ભારતના પૂર્વ ઓપનિંગ બેટર અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા. તેઓ ઘણા દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments