Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના કામ ના આવ્યોઃ આસારામની જેમ પુત્ર નારાયણ સાઈને પણ જામીન ન મળ્યા

Webdunia
શુક્રવાર, 22 મે 2020 (15:10 IST)
કોરોનાની મહામારીનું કારણ આપી ગુજરાત હાઈકોર્ટ પાસેથી જામીન મેળવવામાં આસુમલ હરપાલાણી ઉર્ફે આસારામની જેમ તેમના પુત્ર નારાયણ સાઈ પણ અસફળ રહ્યા છે. સુરત કોર્ટના હુકમની બળાત્કાર કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા સાઈએ કોવિડ 19ની બીમારીના આધારે જેલ સતાવાળાઓના માધ્યમથી પરિવારને મદદરૂપ થઈ શકે તે માટે જામીન માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે જેલોનું ભારણ અને વાયરસના સંક્રમણનું જોખમ ઓછું થાય તે માટે સરકારને કેદીઓને છોડવા સૂચન કર્યા પછી મોટાભાગના કેદીઓ મહામારીમાં પરિવારોને મદદ કરવા જામીન માંગી રહ્યા છે. પરંતુ સાઈની દલીલથી જસ્ટીસ જેવી પારડીવાળા અને જસ્ટીસ આઈ.જે.વોરાની પીઠ સંતુષ્ટ થઈ નહોતી અને જામીન અરજી ફગાવી દીધી હતી. 30 માર્ચે હાઈકોર્ટે આસારામને પણ હંગામી જામીન આપવા ઈન્કાર કર્યો હતો. તેમણે પોતાને જેલમાં કોરોનાનું સંક્રમણ થવાની ભીતિ દર્શાવી હતી. આસારામ હાલમાં જોધપુરની જેલમાં છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments