Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના વરાછામાં ભાજપના કાર્યકરોએ પોલીસ પ્રોટેક્શન સાથે પ્રચાર કર્યો

Webdunia
શુક્રવાર, 10 નવેમ્બર 2017 (14:49 IST)
વરાછામાં ચૂંટણી પ્રચારને  ભાજપના કાર્યકરોનો પાટીદારો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુરૂવારે સર્જાયેલી માથાકુટ બાદ આજે વરાછાની પૂર્વી સોસાયટીમાં પોલીસ રક્ષણ વચ્ચે ભાજપીઓ ડોર ટુ ડોર કેમ્પેઈન માટે નીકળ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યાં હતાં. આ અંગે ભાજપી નેતાઓએ જણાવ્યું હતું કે, અમે કોઈ રક્ષણ માંગ્યુ નથી પરંતુ પોલીસની જીપ પેટ્રોલિંગ માટે નીકળી હતી. વરાછા વિસ્તારમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોની સ્થિતિ કફોડી બની ગઈ છે. રોજે રોજ પાસ દ્વારા ભાજપી નેતા અને કાર્યકરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્રણેક દિવસથી શરૂ થયેલા ભાજપના ડોર ટુ ડોર અભિયાનમાં મોટા વરાછાથી અમરોલીના ધારાસભ્યને પાસે વિરોધ કરી ભગાડ્યા બાદ ગુરૂવારના રોજ અમુક વિસ્તારમાં ઈંડા ફેંકાવાની સાથે સાથે વિરાટનગર સોસાયટીમાંથી ભાજપીઓને પ્રવેશબંધી કરાઈ હતી. તો કતારગામ વિસ્તારમાં ભાજપ કે કોંગ્રેસે મત માંગવા ન આવવાના બેનર લાગ્યાં છે. ત્યારે શુક્રવાર(આજે) પોલીસ પ્રોટેક્શન સાથે ભાજપી નેતાઓ પ્રચાર કરતાં હોય તેવા દ્રશ્યો જોવા મળતાં લોકોમાં પણ કુતૂહલતા છવાઈ ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

સીતામઢીના તળાવમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રોશ ફેલાયો છે

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

આગળનો લેખ
Show comments