Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી મંત્રીમંડળનો જલ્દ થશે વિસ્તાર આ ચેહરાઓ ને આપી શકાય છે મહત્વ

Webdunia
શુક્રવાર, 2 જુલાઈ 2021 (13:53 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજુ કાર્યકાળના પ્રથમ વિસ્તરણ પર બધાની નજર છે. તેમાં ઉત્તર પ્રદેશનો ક્વોટા મોટો હોવાની સંભાવના છે, જ્યાંથી વરુણ ગાંધી, રામશંકર કથીરિયા, અનિલ જૈન, રીટા બહુગુણા 
જોશી, ઝફર ઇસ્લામ ઉપરાંત તેમના દળની અનુપ્રિયા પટેલને મંત્રીમંડળમાં શામેલ કરી શકાય છે.
 
તે સિવાય મધ્યપ્રદેશમાં ભાજપાને ફરીથી સત્તાની ચાવી સોંપનારી જ્યોતિરાદિત્ય સિંધિયા સિવાય અસમમાં ભાજપાના ચૂંટણી જીત્યા પછી પણ ખુશી-ખુશી હેમંત બિસ્વા સરમ માટે મુખ્યમંત્રીનો પદ મૂકતા સર્બાનંદ સોનોવાલને પણ અવસર મળી શકે છે. તે સિવાય ઉત્તરાખંડથી અજય ભટ્ટ કે અનિલ બલૂનીને શામેલ કરવાની શકયતા છે. 
 
તેમજ કર્નાટકથી પ્રતાપ સિન્હા,  પશ્ચિમ બંગાળથી જગન્નાથ સરકાર, શાંતનુ ઠાકુર અથવા નિસિથ પ્રમાણિક. હરિયાણાના બ્રિજેન્દ્ર સિંહ, રાજસ્થાનના રાહુલ કાસવાન, ઓડિશાના અશ્વિની વૈષ્ણવ,  મહારાષ્ટ્રના પૂનમ 
મહાજન અથવા પ્રીતમ મુંડે અથવા હિના ગવિતના નામ સંભવિત સૂચિમાં શામેલ છે. તેમની સાથે, દિલ્હીના પરવેશ વર્મા અથવા મીનાક્ષી લેખીનું નામ પણ હોઈ શકે છે. આ ઉપરાંત નારાયણ રાણે, ભૂપેન્દ્ર યાદવ 
અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા પણ મોદી કેબિનેટમાં સ્થાન મેળવી શકે છે.
 
જેડી-યુને મંત્રીમંડળમાં સ્થાન મળશે
મોદી કેબિનેટમાં થઈ રહ્યા વિસ્તારમાં આ વખતે જનતા દળ યુનાઇટેડ મોટો દાવ લગાવ્યો છે. ગત વખતે મંત્રીમંડળની રચના વખતે એક જ સીટ આપવાથી રોષે ભરાયેલા જેડી-યુને આ વખતે બે બેઠકોની આશા 
છે. તેના માટે પાર્ટીથી લલ્લન સિંહ, રામનાથ ઠાકુર અને સંતોષ કુશવાહા રેસમાં સામેલ હોવાનું જણાવાયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM Modi-Spain PM Pedro in Vadodara Live : રોડ-શો જોવા સવારથી લોકોની ભીડ, વડોદરા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ – પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનું લક્ષ્ય

દિવાળી પહેલા હૈદરાબાદમાં મોટી દુર્ઘટના! ફટાકડાની દુકાન, રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગભગ 8 કાર બળીને ખાખ થઈ ગઈ

Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત

આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરામાં એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

આગળનો લેખ
Show comments