Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pandit Birju Maharaj - બિરજુ મહારાજના મૃત્યુની માહિતી તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (10:37 IST)
પ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજનું રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા.
 
પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા બિરજુ મહારાજના મૃત્યુની માહિતી તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી.
 
તેમણે લખ્યું, "અત્યંત દુખ સાથે અમને જણાવવું પડે છે કે આજે અમે અમારા પરિવારના અમારા સૌથી પ્રિય સભ્ય પંડિત બિરજુજી મહારાજને ગુમાવ્યા છે. તેમણે 17 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ."
 
બિરજુ મહારાજના નિધન પર શોક વ્યક્ત કરતા ગાયક અદનાન સામીએ ટ્વીટ કર્યું.
 
તેમણે લખ્યું, "મહાન કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજજીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. આપણે કલા ક્ષેત્રે એક અદ્વિતીય સંસ્થા ગુમાવી છે. તેમણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે. તેમના આત્માને શાંતિ મળે.''
 
લખનૌના કથક ઘરાનામાં જન્મેલા બિરજુ મહારાજના પિતા અચ્છન મહારાજ અને કાકા શંભુ મહારાજનું નામ દેશના પ્રખ્યાત કલાકારોમાં સામેલ હતું.
 
તેમનું પ્રારંભિક નામ બ્રિજમોહન મિશ્રા હતું, નવ વર્ષની વયે તેમના પિતાના અવસાન પછી પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. ત્યારબાદ તેમણે કાકા પાસેથી કથકની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.
 
થોડા સમય પછી કપિલા વાત્સ્યાયન તેમને દિલ્હી લઈ આવ્યા. તેમણે સંગીત ભારતી (દિલ્હી)માં નાના બાળકોને કથક શીખવવાનું શરૂ કર્યું અને પછી કથક કેન્દ્ર (દિલ્હી)નો હવાલો સંભાળ્યો.
 
તેમણે કથક સાથે ઘણા પ્રયોગો કર્યા અને ફિલ્મો માટે કોરિયોગ્રાફી પણ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments