Webdunia - Bharat's app for daily news and videos

Install App

RSS મુસ્લિમોનો નરસંહાર કરે તે પહેલા જગતે જાગી જવું જોઈએ' - ઇમરાન ખાન

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (18:30 IST)
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ફરી એક વખત શાબ્દિક હુમલો કર્યો છે.
ભારતમાં હાલ ભાજપની સરકાર છે. ભાજપ અને સંઘ બંને જોડાયેલા છે અને બંનેની વિચારધારા એક છે.
 
આ પહેલાં ગુરુવારના રોજ તેલંગણામાં RSSએ માર્ચ કાઢી હતી.
 
સુચિત્ર વિજયન નામની એક વ્યક્તિએ RSSની એ માર્ચની વીડિયો-ક્લિપ ટ્વિટર પર શૅર કરી હતી.
 
 
ઇમરાન ખાને સુચિત્ર વિજયનના ટ્વીટને રિ-ટ્વીટ કરતાં લખ્યું, "RSSના કારણે મુસ્લિમોનો નરસંહાર થાય તે પહેલાં આંતરરાષ્ટ્રીય જગતે જાગી જવું જોઈએ."
 
"મુસ્લિમોના નરસંહાર સામે દુનિયાના બીજા નરસંહાર ખૂબ નાના સાબિત થશે. કોઈ ધર્મ વિશેષથી નફરતના આધારે જ્યારે હિટલરના બ્રાઉન શર્ટ્સ કે RSS જેવા સંગઠન બને છે, તેમનો અંત હંમેશાં નરસંહાર પર થાય છે."
આ પહેલાં પણ ઇમરાન ખાને RSS પર ઘણી વખત પ્રહારો કર્યો છે.
 
ઇમરાન ખાન જ્યારે પણ ભારતની નરેન્દ્ર મોદી સરકાર પર વાત કરે છે, તેમાં RSSનો ઉલ્લેખ ચોક્કસપણે હોય છે. સાથે જ તેઓ ભારતની ભાજપ સરકારની સરખામણી જર્મનીની નાઝી સરકાર સાથે કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

આગળનો લેખ
Show comments