Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમાજ કલ્યાણ અધિકારી 3ની પરીક્ષામાં પેપરનું સીલ તૂટેલું હોવાના આક્ષેપ

Webdunia
સોમવાર, 16 મે 2022 (09:11 IST)
જૂનાગઢમાં લેવાયેલ સમાજ કલ્યાણ વર્ગ 3ની પરીક્ષામાં પેપરનું સીલ તુટેલું હોવાના આક્ષેપ સાથે પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે, હોબાળાની જાણ થતા દોડી આવેલા ઉચ્ચ અધિકારીએ મામલો યેનકેન રીતે થાળે પાડ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ સ્વામિ વિવેકાનંદ સ્કૂલમાં રવિવાર 15 મેએ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3ની પરીક્ષા યોજાઇ હતી.પરીક્ષા દરમિયાન પેપરનું સીલ તૂટેલું હોવાનું જણાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. એક વિદ્યાર્થીનીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, પેપરનું સીલ 3 થી 3.50 ઇંચ જેટલું તૂટેલું હતું. પરિણામે પરીક્ષાર્થીઓએ સહિ ન કરી. આ મામલે સુપરવાઇઝરને જાણ કરી. તેમણે પ્રિન્સીપાલને જાણ કરી અને તેમણે જાણ કરતા ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા.

બાદમાં રોજકામ થયું. જોકે પેપરનું સીલ 3.50 ઇંચ તૂટેલું હતું, જ્યારે રોજકામ 2.50 ઇંચનું કરાયું!આ અંગે પ્રુફ આપવાનું કહ્યું તો અધિકારીએ ના પાડી દીધી અને કહ્યું કે, પંચાયતમાંથી કે આરટીઆઇ કરીને જાણી લ્યો!! અધિકારીએ પેપરલીકનો બચાવ કરતા કહ્યું હતું કે, આટલામાંથી પેપર થોડું નિકળે?! ત્યારે આવો બચાવ મજબૂતીથી ઉભો રહે તે માટે જ 3.50 ઇંચના બદલે 2.5 ઇંચ જ પેપરનું સીલ તૂટેલું હોવાનું રોજકામ તો કરાયું નથી ને? તેવો સવાલ પરીક્ષાર્થીઓમાં ઉઠવા પામ્યો છે.આ મામલે સાચી હકિકત શું છે તે જાણવા માટે ડેપ્યુટી ડીડીઓનો 2 કલાકમાં જુદા જુદા સમયે 3 થી વધુ વખત સંપર્ક કરાયો હતો પરંતુ તેમનો ફોન રિસીવ થયો ન હતો. એટલું જ નહિ બાદમાં સામેથી ફોન કરી વિગત જણાવવાની તસ્દી પણ લીધી ન હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments