Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિ-રવિમાં પાવાગઢ જાઓ તો ધ્યાન આપો, પંચમહાલ કલેક્ટરે આ જાહેરનામું બહાર પાડ્યું છે

Webdunia
શનિવાર, 8 જુલાઈ 2023 (21:58 IST)
શનિ અને રવિવારે યાત્રાધામમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ થતી હોવાથી ટ્રાફિક જામ થાય છે
કલેક્ટરે આજથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને 20 જેટલી એસટી નિગમની બસોની સુવિધા કરી
 
ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢને લઈ પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ ડુંગર ઉપર શનિ અને રવિવારે ખાનગી વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ દિવસોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોવાથી ટ્રાફિક જામ થાય છે. જેને લઈને ખાનગી વાહનોને ડુંગર પર જવાની મનાઈ ફરમાવતો નિર્ણય કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. 
 
20 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ
તે ઉપરાંત મુસાફરોની સુવિધા માટે કલેક્ટર દ્વારા વધુ એક સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. પાવાગઢ ડુંગર પર જવા માટે એસટી નિગમની 20 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ છે. માચી સુધીની અવર જવર માટે આ બસોની સુવિધા મુસાફરોને આપવામાં આવી છે. આજથી બે માસ સુધી શનિવારે અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવાના પ્રતિબંધના જાહેરનામાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 
 
જીલ્લા કલેકટરે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો
ખાનગી વાહનો અને પેસેન્જરમાં હેરાફેરી કરતી ખાનગી જીપને લઈ ટ્રાફિક જામ થવાની સાથે એસટી બસ સેવા બંધ થઈ ગઈ હતી. એસટી વિભાગ દ્વારા શનિવાર અને રવિવારના દિવસે ભારે ટ્રાફિકને કારણે બે દિવસ એસટી સેવા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવાર અને રવિવારે ખોરવાતી ટ્રાફિક વ્યવસ્થાને લઈ ઉઠેલી રજૂઆતો બાદ જીલ્લા કલેકટરે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

આગળનો લેખ
Show comments