Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં પાંચ સફાઈ કામદારોનો આત્મવિલોપનનો પ્રયાસ

Webdunia
સોમવાર, 7 મે 2018 (14:10 IST)
વડોદરા શહેરની ગુજરાત રિફાઇનરીમાં કોન્ટ્રાક્ટમાં વર્ષોથી નોકરી કરતા સફાઇ કામદારોની સમાન કામ સમાન વેતનની માંગ ન સ્વિકારાતા પાંચ કર્મચારીઓના આત્મવિલોપનના પ્રયાસને પોલીસને નિષ્ફળ બનાવ્યો હતો. વડોદરા નજીક આવેલી ગુજરાત રીફાઇનરીમાં 500 જેટલા સફાઇ કામદારો વર્ષોથી નોકરી કરે છે. આ કર્મચારીઓ છેલ્લા કેટલાંક સમયથી સમાન કામ સમાન વેતનની માંગણી કરી રહ્યા છે. અનેક વખત સત્તાવાળાઓને રજૂઆત કરી છે. અલબત્ત કર્મચારી યુનિયન પોતાની માંગણીઓને લઇ મેનેજમેન્ટ સામે કાનુની જંગ કરી રહ્યા છે. કોર્ટ દ્વારા પણ કર્મચારીઓ તરફે વલણ અપનાવવા માટે કંપની મેનેજમેન્ટને સુચના આપી છે. આમ છતાં મેનેજમેન્ટ દ્વારા કોઇ દાદ આપવામાં આવી ન હતી. આથી સફાઇ કર્મચારી સંગઠન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાનું એલાન આપ્યું હતું. આ સાથે 5 કર્મચારીઓએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.દરમિયાન આજે ગુજરાત રીફાઇનરીના 500 જેટલા સફાઇ કામદારો કંપની નજીક હડતાળ પર બેસી ગયા હતા. બીજી બાજુ 5 કર્મચારીઓએ આત્મવિલોપન કરવાની ચિમકી આપી હોવાથી પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આત્મવિલોપનની ચિમકી આપનાર પાંચ કર્મચારીઓ આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલાં પોલીસે તમામ પાંચ કર્મચારીઓની અટકાયત કરી લીધી હતી. અને તેઓ પાસેનું જ્વલનશિલ પ્રવાહી કબજે કરી લીધું હતું.પાંચ કર્મચારીઓની પોલીસ અટકાયત કરતા અન્ય કર્મચારીઓ દ્વારા કંપની વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે કર્મચારી યુનિયને કંપની વિરૂધ્ધની હડતાળ ચાલુ રાખી હતી. અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરેલા સફાઇ કામદાર સંગઠને જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી સમાન કામ સમાન વેતનની માંગ પૂરી કરવામાં નહિં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Amit Shah Birthday: આજે અમિત શાહનો જન્મદિવસ, જાણો શેર બ્રોકરથી રાજકારણના બાદશાહ બનવા સુધીની સફર

ક્યારે આવશે વાવાઝોડુ દાના? પવનની ઝડપ 35થી 120KM સુધી પહોંચશે, આ 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ પ્રદૂષણ, મોટા ભાગના વિસ્તારોમાં હવા 'ખૂબ ખરાબ'

પીએમ મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલામાં કેજરીવાલની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

હિઝબોલ્લાહ પર ઇઝરાયેલે 25 જેટલાં ઠેકાણાં ઉપર હવાઈ હુમલા

આગળનો લેખ
Show comments