Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર સરોવર ડેમ નજીક આવેલા ધરતીકંપના અહેવાલ અંગે નર્મદા ડેમના મુખ્ય ઇજનેરે કરી સ્પષ્ટતા

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (11:24 IST)
સરદાર સરોવર ડેમ નજીક આવેલા ધરતીકંપના અહેવાલ અંગે નર્મદા ડેમના મુખ્ય ઇજનેરે કરી સ્પષ્ટતા
વડોદરા: કેટલાક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં સરદાર સરોવર ડેમ નજીક આવેલ ધરતીકંપ અંગે પ્રસિધ્ધ-પ્રસારિત થયેલા અહેવાલો સંદર્ભે સરદાર સરોવર નર્મદા નિગમ લિ., વડોદરા ખાતેના ડેમ વિભાગના મુખ્ય ઇજનેરદ્વારા સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ- ગાંધીનગર તરફથી જણાવ્યાનુસાર ધરતીકંપ તા.૧૮/૦૭/૨૦૧૯ના રોજ સવારે ૨:૧૫ કલાકે(મોડી રાત્રે) આવ્યો છે અને રિક્ટર સ્કેલ અનુસાર ૩ની તિવ્રતા ધરાવે છે. આ ધરતીકંપનુ એપી સેન્ટર સરદાર સરોવર ડેમ સાઇટથી ૫૩ કિ.મી. દૂર છે અને ફોકલ ડેપ્થ ૧૩.૬ કિ.મી.ધરાવે છે. 
 
ડેમના મુખ્ય ઇજનેર તરફથી કરાયેલી ઉક્ત સ્પષ્ટતામાં વધુમાં જણાવ્યા મુજબ સરદાર સરોવર બંધના આલેખન માટે સ્વીકારાયેલા ધારાધોરણ અનુસાર ડેમની ડિઝાઇન રિક્ટર સ્કેલ અનુસાર ૬.૫ની તિવ્રતા ધરાવતા અને એપી સેન્ટર સરદાર સરોવર ડેમથી ૧૨ કિ.મી. ની ત્રિજ્યામાં તથા ૧૮ કિ.મી. ની ફોકલ ડેપ્થ ધરાવતા ધરતીકંપ માટે કરવામાં આવી છે. 
 
આમ, આ ધરતીકંપથી સરદાર સરોવર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામને કોઇ અસર થાય તેમ નથી આમ, સલામતીના ઉત્તમ ધારાધોરણો અપનાવાયેલ હોવાથી સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તદ્દન સલામત છે, તેમ મુખ્ય ઇજનેર, ડેમ અને વડોદરા એસ.એસ.એન.એન.એલ. વડોદરા દ્વારા જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Digital Arrest: શુ છે ડિજિટલ અરેસ્ટ અને કેવી રીતે આ તમને કરી શકે છે બરબાદ ?

રાજસ્થાનના બાબા બાલકનાથ સામે બળાત્કારનો કેસ, ચાલતી કારમાં પેડા ખવડાવીને ખોટું કર્યું

ઇઝરાયલના હવાઈ હુમલામાં બૈરુતની હૉસ્પિટલમાં ચાર લોકોનાં મોત

એક સાથે 23 હાથી રેલ્વે ટ્રેક પર પહોંચ્યા, 16 ટ્રેનો રોકવી પડી, કારણ જાણીને થઈ જશે ભાવુક

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments