Webdunia - Bharat's app for daily news and videos

Install App

Live video કોંગ્રેસની એંઠી લોલીપોપ મુર્ખાઓએ સ્વીકારીઃ નીતિન પટેલ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (13:21 IST)
હાર્દિક પટેલે અનામત પ્રેસકોન્ફરન્સ કરીને કોંગ્રેસ દ્વારા અનામત આપવાની ફોર્મ્યૂલા આપી હોવાની જાહેરતા કરી હતી. ઉપરાંત કોંગ્રેસની આ ફોર્મ્યૂલાને પાટીદાર સમાજના અગ્રણીઓની સહમતી સાથે સ્વીકારી હોવાની જાહેરાત કરી છે. ત્યારે બાદ ખોડલધામ અને ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નિવેદન સામે આવ્યા છેકે હાર્દિકે તેમને વિશ્વાસમાં લીધા વગર જ આ જાહેરાત કરી છે. આ ઉપરાંત હાર્દિક પટેલે કરેલી પ્રેસ બાદ ગુજરાતના નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રેસકોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ કોંગ્રેસના આદેશ પ્રમાણે બોલે છે. પાસનો મુખ્ય મુદ્દો પાટીદારોને ઓબીસીમાં સમાવવાનો હતો. આમ કોંગ્રેસનો અસલી ચહેરો બહાર આવ્યો છે. હાર્દિક આધ્યાત્મક ગુરૂની જેમ વાત કરી રહ્યો હતો. કોંગ્રેસે આપેલો પત્ર હાર્દિકે પ્રેસકોન્ફરન્સમાં વાંચી હતી. આમ કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગાય છે. મુર્ખાઓએ દરખાસ્ત આપી અને મુખ્યાઓએ દરખાસ્ત સ્વીકારી હોવાનું ડે. CM નીતિન પટેલે જણાવ્યું હતું.
ડે.સીએમ નીતિન પટેલની પ્રેસકોન્ફરન્સની હાઇલાઇટ્સ
    હાર્દિક તારી પાસે સમજણ ન હોય તો મારી પાસે આવ હું શિખવું
    પાટીદારોને છેતરનારાઓને સમાજ છોડશે નહીં
    પાસના નેતા કોંગ્રેસમાં જોડાઇ જાઓ અને પાસમાં જોડાઇ જાઓ
    હાર્દિક સમાજની સોદાબાજી બંધ કરે
    કોંગ્રેસના એજન્ટોના ચહેરાઓ ખુલ્લા પડી રહ્યા છે
    કોઇપણ સંજોગોમાં 50 ટકાથી વધારે અનામત આપી ન શકાય
    હાર્દિક પટેલે કોઇપણ સંસ્થાને જાણ કરી નથી
    હાર્દિક પટેલે નાદાન છે તેને કાયદાનું જ્ઞાન નથી
    SCના 9 જજોની બેન્ચે અનામત અંગે ચૂકાદો આપ્યો છે
    કોંગ્રેસ 14 તારીખ સુધી હાર્દિકનો ઉપયોગ કરશે
    કોંગ્રેસના પૈસા અને માર્ગદર્શન હેઠળ અનામત ચાલતું હતું
    પાટીદાર સમાજાના સોદા કરનારા ફાવશે નહીં

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments