Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલા સહિત ૫૦ ધારાસભ્યોને કોંગ્રેસે વ્હિપ આપ્યો

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2017 (14:08 IST)
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિત ૫૦ ધારાસભ્યોને વ્હિપ મોકલી આપ્યો છે. કોંગ્રેસે એવી પણ ચિમકી ઉચ્ચારી છેકે, મેન્ડેટનું ઉલ્લંઘન કરાનારા ધારાસભ્યને પક્ષમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવાની પણ ચિમકી આપવામાં આવી છે.

સૂત્રોના મતે, ભાજપે શામ,નામ,દંડભેદની નિતી અપનાવતા કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોને કર્ણાટકના બેંગાલુરૃમાં લઇ જવાયા છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સહીથી શંકરસિંહ વાઘેલા ઉપરાંત ૫૦ ધારાસભ્યોને રજી.એડીથી વ્હિપ મોકલી અપાયાં છે. ઉલ્લેખનીય છેકે, શંકરસિંહ વાઘેલા સહિત તેમના જૂથના કેટલાંક ધારાસભ્યોએ હજુ ય રાજીનામુ ધર્યુ નથી. પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું કહેવુ છેકે, ભાજપના સંપર્કમાં હોય,રાજીનામુ ધર્યુ ન હોય તે તમામ કોંગ્રેસી ધારાસભ્યોએ હવ પક્ષના મેન્ડેટનું પાલન કરવુ પડશે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ રાજકીય સમીકરણો વધુને વધુ પેચિદા બની રહ્યાં છે. ચૂંટણીના જાહેરનામાં બાદ ચૂંટણીપંચે નોટાનો અમલ જારી કર્યો છે જેના મુદ્દે પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે. આમ,રાજ્યસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે અને કોણે પછડાટ ખાવી પડશે તે મુદ્દે રાજકીય ગલીયારીમાં ચર્ચાએ જોર પકડયું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments