Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણમાં દર્શાવવામાં આવેલી નર્મદારથની ફિલ્મ ફ્લોપ ગઈ, કોઈના આવ્યું કાગડા ઉડ્યા

Webdunia
રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (15:46 IST)
ગુજરાત સરકાર દ્વારા નર્મદા યોજનાના પ્રચાર અને પ્રસાર માટે અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે. જે અંતર્ગત તારીખ 13 થી 16 દરમિયાન 'નર્મદાયાત્રા' કાઢી ઠેર-ઠેર 'નર્મદારથ'નું પરિભ્રમણ કરાવવામાં આવ્યું હતું. તેમજ ઉત્તર ગુજરાતના પાટણ શહેરના આનંદ સરોવર ખાતે ઓપન એર થિયેટરમાં સરકારે 'નર્મદારથ' પર બનાવેલી ફિલ્મ બતાવવાનું ભવ્ય આયોજન કર્યું હતું. પરંતુ માત્ર 20 થી 25 લોકો જ ફિલ્મ નિહાળવા આવતા આ ફિલ્મનો સંપૂર્ણ ફિયાસ્કો થયો હતો અને ઓપન એર થિયેટરમાં કાગડા ઉડતા હોય એવો માહોલ સર્જાયો હતો.

સરકારે આનંદ સરોવરને ઝગમગતી રોશની વડે શણગારવા માટે લાખો રૂપિયાનું આંધણ કર્યું હતું. અને હજારો લોકોને ફિલ્મ બતાવી વાહવાહી લૂંટવાની સરકારને આશા હતી. પરંતુ સરકારની આ આશા પર પાણી ફરી વળ્યું છે. 'નર્મદાયાત્રા' દરમિયાન ઠેર-ઠેર 'નર્મદારથ'નો વિરોધ કરાયો હોવાને કારણે લોકોમાં આ ફિલ્મ નિહાળવા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી હોવાનું સામે આવતા સરકારની ગણતરી ઉંધી પડી હોવાની ચર્ચા હાલ લોકમુખે સંભળાઇ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments