Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકીય પક્ષો જ પોતાના રોટલા શેકવા મંદિર બહાર ગાય અને મસ્જિદ બહાર ભૂંડ નાખે છે - હાર્દિકનું નિવેદન

Webdunia
સોમવાર, 25 જૂન 2018 (12:10 IST)
રાજકીય પક્ષો પોતાની રાજનીતિ માટે જાતીવાદનું જેર ફેલાવી રહ્યા હોવાનું હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યુંકે હિંદુમુસ્લિમો વચ્ચેના સાંપ્રદાયીક તણાવનો ફાયદો ઉઠાવવા માટે મંદિરની બહાર ગાય અને મસ્જીદની બહાર ભુંડને નાખતા હોય છે. જેથી વેરઝેર પેદા થાય અને તેઓ પેદા થયેલી આ આગમાં પોતાનાં રાજકીય રોટલાઓ શેકી શકે.  પરંતુ આજે હિંદુ- મુસ્લિમે લડવાની જરા પણ જરૂર નથી. કારણ કે આજે હિંદુ કે મુસ્લિમ કોઇ પર ખતરો નથી.  નેતાઓ માટે હિંદૂ ધર્મનો ઝંડો લઇને ફરનાર પ્રવિણ તોગડિયાની આજે શું પરિસ્થિતી થઇ તે સૌ કોઇ જોઇ શકે છે. નેતાઓએ પોતાનો સ્વાર્થ સધાઇ ગયા બાદ આજે તેને ફેંકી દીધા છે. અત્રે ઉલ્લે્ખનીય છેકે હાર્દિક કરમસદ ખાતે આવેલા મેમોરિયલ હોલમાં પાટીદાર સામાજીક સંગઠન ચિંતન બેઠકમાં હાજરી આપવા માટે આવ્યો હતો. હાર્દિકે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, ચરોતરનાં ઘણા  પાટીદારો વિદેશમાં છે. ઘણા જવાની તૈયારીમાં છે તેથી તેઓ પોલીસ કેસની બીકે આંદોલનથી દુર ભાગી રહ્યા છે.  જો તેઓ પાસના આંદોલનમાં જોડાશે તો  તેઓ વિદેશ નહી જઇ શકે. જ્યારે કેટલાક એવું વિચારી રહ્યા છેકે આપણે ક્યાં જરૂર છે. પરંતુ હવે સમાજને અનામતની તાતી જરૂર છે. આ માટે સમાજે આગળ આવવું જ પડશે. પોતાનાં ભાઇઓનાં ભવિષ્ય માટે સમાજે આગળ આવવું પડશે. આ કાર્યક્રમનાં પાસનાં હોદ્દેદારો ઉપરાંત કેટલાક કોંગ્રેસી આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments