Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ: પાયલોટની હઠને કારણે ફ્લાઈટ ન ઉડી

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2023 (10:54 IST)
Air India ની ફ્લાઈટના પાયલોટની હઠના કારણે ફ્લાઈટ ન ઉડી. ફ્લાઇટના પાયલોટે હઠ પકડી કે, મારી નોકરી પૂરી થઈ, એટલે હું પ્લેન નહિ ઉડાડું. ત્યારે આ કારણે રાજકોટ એરપોર્ટથી રાત્રે ૮:૦૦ વાગ્યે દિલ્હી તરફ જતી ફ્લાઇટએ ઉડાન ન ભરી. પાયલોટની જીદને કારણે ત્રણ સાંસદો સહિત ૧૦૦ મુસાફરો રઝળી પડયા હતા. 
 
શું છે સમગ્ર મામલો 
બન્યુ એમ હતું કે, ગત રવિવારે રાજકોટ એરપોર્ટ પર રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય પર હતી. દિલ્હીની ફ્લાઈટ રાજકોટ લેન્ડ થયા બાદ મુસાફરો પ્લેનમાંથી ઉતરી ગયા હતા અને દિલ્હી જનારા મુસાફરો પ્લેનમાં બેસી ગયા હતા. પરંતુ અહી જોવા જેવી થઈ હતી. કારણે દિલ્હીથી રાજકોટ આવેલી એર ઇન્ડિયાની આ ફ્લાઈટના મુખ્ય પાઇલટના કામના કલાકો પૂરા થઇ ગયા હતી. તેની શિફ્ટ પૂરી થઈ હતી. તેથી તેણે ફરીથી ફ્લાઈટ દિલ્હી લઇ જવાની ના પાડી હતી. 
 
પાઈલટ પોતાની જીદ છોડવા તૈયાર ન હતો. આખરે આખી ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ હતી. અંતે રવિવારે રાત્રે 11 વાગ્યે આ ફ્લાઈટને રદ જાહેર કરવામાં આવતા યાત્રિકો રઝળી પડ્યા હતા. આખરે રાતે 11 વાગ્યે મુસાફરો અટવાયા હતા. જેથી નિર્ણય લેવાયો કે, સોમવારથી દિલ્હીથી બીજો પાયલટ આવે ત્યારે જ ફ્લાઈટ ઉડાન ભરશે. જોકે, હજી સુધી આ ફ્લાઈટે ઉડાન ભરી નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments