Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકાર વર્ગ-4ના કર્મચારીઓને બોનસ ચૂકવશે. એસટી કર્મચારીઓની પણ માંગ સ્વીકારી

Webdunia
શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (16:04 IST)
આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને 7000 ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21000થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે. બીજી તરફ એસટી નિગમના માન્ય ત્રણ કર્મચારી સંગઠનોની વિવિધ માગનો અંત આવ્યો છે.

26 ઓક્ટોબરે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી, અધિકારીઓ અને કર્મચારી સંગઠનના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ સંગઠનોમાં વર્કસ ફેડરેશન, કર્મચારી મહામંડળ, મજદૂર મહાસંઘનો સમાવેશ થાય છે. બેઠકમાં કર્મચારીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં બાકી એરિયર્સની ચૂકવણી દિવાળી પહેલા કરાશે, HRA નવેમ્બરથી ચૂકવાશે. સિનિયર અને જુનિયર કર્મચારીઓના ગ્રેડ પે અને પગાર બાબતે ચર્ચા કરાશે.વાર્ષિક રજાઓને લઈને પરિપત્ર જાહેર કરાશે, અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને વળતર ચૂકવવા અંગે નિર્ણય લેવાશે. દિવાળી પહેલા પાર્ટ ટાઈમ કર્મચારીઓને બોનસ ચૂકવાશે. ઓવર ટાઈમની ચૂકવણી અંગે નિર્ણય લેવાશે, ફિક્સ પગારના કર્મચારીઓને ઉચ્ચક ફેસ્ટિવલ એડવાન્સ તરીકે 5 હજાર રૂપિયા અપાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હી-NCR માં ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર, સપ્લાય ઘટવાને કારણે ભાવમાં વધારો

એક પતિ, ત્રણ પત્નીઓ અને કરવા ચોથ... 13 વર્ષ પહેલા ત્રણ બહેનો સાથે લગ્ન કરનાર વ્યક્તિની વાર્તા શું છે?

લગ્નના માત્ર એક દિવસ પછી વધુએ આપ્યો બાળકીને જન્મ વરએ સાથે રાખવાની ના પાડી

દિલ્હીમાં હવામાન બદલાઈ રહ્યું હોવાથી તેની અસર હવે પ્રદૂષણ પર દેખાઈ રહી છેઃ ગોપાલ રાય

પદ્મનાભ સ્વામી મંદિરમાં ચોરી, હરિયાણાના 4 આરોપીઓની અટકાયત

આગળનો લેખ
Show comments