Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂપિયા ૩૦૯૫ કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર

Webdunia
બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (17:36 IST)
રાજ્યમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સંદર્ભે ખેડૂતોને સહાયરૂપ થવા-આંસુ લૂછવાનું કામ અમારી સરકારે કરીને ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય એવું ૩૦૯૫ કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે અને સહાય ચૂકવી દેવાઈ છે.
 
આજે વિધાનસભા ખાતે છોટાઉદેપુર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ ખેતી પાકોના નુકસાનના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યું કે, જુલાઈથી ઓકટોબર માસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ થયો છે અને ખેતીના પાકોને નુકસાન થયુ છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ રાજ્યના ૨૫૧ તાલુકાઓ પૈકી ૨૪૮ તાલુકાઓને આવરી લેવાયા છે. 
 
આ પેકેજમાં ૧૨૫ તાલુકાઓ એવા હતા કે જ્યાં એક ઇંચથી વધુ વરસાદ થયો હતો જેમાં પ્રતિ હેક્ટરદીઠ રૂપિયા ૬૮૦૦ સહાય બે હેકટરની મર્યાદામાં, ૪૨ તાલુકાઓ એવા હતા કે જ્યાં એક ઈંચથી ઓછો વરસાદ થયો હતો જેમાં પ્રતિ ખેડૂત દીઠ રૂપિયા ૪,૦૦૦ તથા ૮૧ તાલુકાઓમાં તમામ ખેડૂતોને રૂ.૪,૦૦૦ ચૂકવવાનો નિર્ણય આ પેકેજ હેઠળ કરીને નાણાં ઓન લાઇન પદ્ધતિ થકી ખેડૂતોના ખાતામાં સીધે સીધા પારદર્શિતાથી ચૂકવવામાં આવી રહ્યાં છે.
 
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ૨૪૬૧ ખેડૂતોએ અરજી કરી હતી અને એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ મુજબ ચુકવણું કરાયું છે જેમાં ૧૩૦૯ ખેડૂતોને રૂ ૫૭.૯૦ કરોડનું ચુકવણું કરી દેવાયું છે. જ્યારે ૧૧૫૨ અરજીઓ એવી હતી કે જેનું ડુપ્લિકેશન થયું હોવાથી ચકાસણીની પ્રક્રિયા ચાલું છે જે પૂર્ણ થયેલ સહાય સત્વરે ચૂકવી દેવાશે.
 
ભાવનગર અને બોટાદ જિલ્લામાં કમોસમી અને અતિવૃષ્ટિથી અસર પામેલા ૨,૭૫,૨૪૩ ખેડૂતોએ અરજી કરી હતી તે પૈકી ૧,૯૭,૫૩૦ ખેડૂતોને સહાય મળવાપાત્ર હતી તે તમામ ખેડૂતોને રૂ.૧૩૨.૨૮ કરોડની સહાય ચૂકવી દેવાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments