Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા: 27 વર્ષના વકીલનું હાર્ટએટેકથી મોત

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2023 (11:09 IST)
કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધતા જઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં અનેક યુવાનોને હાર્ટ એટેક આવ્યાના સમાચાર ખરેખર ચિંતાજનક બાબત છે. કેટલાક યુવાનો રમત રમતા પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાલ ચાલતા ચાલતા જ અચાનક ઢળી પડે છે. આવામાં વડોદરામાંથી આવા જ એક વધુ સમાચાર આવ્યા છે. વડોદરામાં 27 વર્ષના એડવોકેટનું હાર્ટએટેકથી મોત થયું છે. નિહાલ ત્રિવેદીને હાર્ટએટેક આવતા મૃત્યુ થયું છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમીનલ બાર એસો.એ શ્રદ્ધાંજલિ આપી છે. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું છે. 
 
બીજી તરફ બાર એસોસિએશનને પણ સમાચાર મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. વકીલોમાં પણ શોકની લહેર દોડી ગઇ હતી. પરિવારને પણ ઘટના બાદ ભાંગી પડ્યો હતો. યુવાન અચાનક ઢળી પડતા પરિવાર દ્વારા તત્કાલ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે ફરજ પર હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ડોક્ટર્સ દ્વારા જ્યારે પરિવારને જાણ કરવામાં આવી તો પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારમાંથી જવાન જોધ યુવાન જતો રહેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments