Webdunia - Bharat's app for daily news and videos

Install App

Road Accident: જાન લઈને પરત આવી રહેલી બસ ટ્રક સાથે અથડાતા 1 નુ મોત, 80 ઘાયલ

Webdunia
બુધવાર, 29 માર્ચ 2023 (11:13 IST)
Chhattisgarh Accident: છત્તીસગઢના બલૌદાબજાર ( Chhattisgarh Road Accident) માં ટ્રક બસમાં ભીષણ ટક્કર થઈ ગઈ. જેને કારણે 80 લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે કે એકનુ મોત થયુ છે. ઘાયલ 80 લોકોમાંથી 20ની હાલત ગંભીર બતાવાય રહી છે. દુર્ઘટના પછી પહોંચેલી પોલીસ (Police)એ ઘાયલોને હોસ્પિટલ પહોચાડ્યા. જેમા 10-12 લોકોની હાલત ગંભીર જોતા તેમને રાયપુર (Raipur) રેફર કરવામાં આવ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે બસ જાન લઈને પરત આવી રહી હતી. 
 
 બસ જાન લઈને પરત ફરી રહી હતી
માહિતી મળતા જ ગીધૌરી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને ઘાયલોના જણાવ્યા અનુસાર, કુર્રા પચારી ગામથી રાયપુરના જુલૂસમાં ગયા હતા. ત્યારે પરત ફરતી વખતે ગીધૌરી પાસે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકનું નામ બસંત સાહુ છે. બસની આટલી ભીષણ ટક્કર પાછળનું કારણ બહાર આવ્યું નથી. તમને જણાવી દઈએ કે આ જ મહિનામાં જિલ્લામાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.
 
ઘાયલોની ચાલી રહી છે સારવાર  
ઘટનામાં 80 લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. જેમા 10 લોકોના પગમાં ગંભીર રૂપે ઘવાયા છે.  દુર્ઘટનામાં ઘાયલ લોકોને બિલાઈગઢ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક લોકોને ગિઘૌરી અને કસડોલના પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેની હાલત ગંભીર હતી તેમને રાયપુર રેફર કરવામાં આવ્યા છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments