Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - અજમેરમાં કેબલ તૂટવાથી 30 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાઈ રાઈડ, અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ

Webdunia
બુધવાર, 22 માર્ચ 2023 (07:25 IST)
રાજસ્થાનના અજમેર જિલ્લામાં ઝૂલો તૂટવાને કારણે એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં 11થી વધુ લોકો ઘાયલ થયા છે. અજમેરના કુંદન નગર વિસ્તારમાં ફુસ કોઠી પાસે ડિઝનીલેન્ડ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે લગભગ 30 ફૂટની ઊંચાઈથી ટાવરનો ઝૂલો અચાનક તૂટી પડ્યો હતો. અકસ્માત સમયે ઝૂલા પર 25 જેટલા લોકો સવાર હતા. ઘાયલોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે, જે તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝૂલો પડતાની સાથે જ ઝૂલનાર અને તેનો સાથી ભાગી ગયા હતા. ઘટના દરમિયાન અહીં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
<

Rajasthan | Eleven people were injured after a tower swing had a free fall due to a broken cable during a fair in Ajmer: Sushil Kumar, ASP, Ajmer (21.03) pic.twitter.com/Olrn45vxBx

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 21, 2023 >
 
 
એક પોલીસ અધિકારીએ કહ્યું, “આ ઘટના રાઈડનો કેબલ તૂટવાને કારણે બની હતી. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા છે. તેમની જેએલએન સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તમામ ખતરાની બહાર છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. અધિકારીએ કહ્યું કે પ્રદર્શનમાં રાઈડના સંચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ સાચી સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે. તેમજ દોષિતો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments