Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંત્રીઓની કમલમમાં પાઠશાળા, પ્રજા વચ્ચે જવા માટે દરેક મંત્રીઓને આદેશ

Webdunia
મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (12:46 IST)
ગુજરાતમાં નવા ભાજપ પ્રમુખે શરૂ કરેલી કવાયતના ભાગરૂપે મંત્રીઓને કમલમ પર બેસવાની સાથે અઠવાડિયામાં ત્રણ દિવસ ત્રણ–ત્રણ સભાઓ કરીને પ્રજા વચ્ચે જવાનો પણ આદેશ પક્ષ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. જેથી શુક્ર–શનિ અને રવિ એમ ત્રણ દિવસ મુખ્યમંત્રી સહિત 21 મંત્રી, આઠ ચેરમેન, 30 પદાધિકારીઓનો દરેક જિલ્લાના વડામથક પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવો પડશે. રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીઓ અને આગેવાનોને કોરોનાની મહામારી વચ્ચે પ્રજાવચ્ચે જવાના આદેશ આપ્યા છે. આ તમામ મંત્રીઓએ સરકાર દ્રારા કરવામાં આવેલી કામગીરીઓ યોજનાઓ જે તે જિલ્લામાં મહાનગરો–નગરપાલિકામાં કરેલા કામો જાહેર કરીને પ્રજાલક્ષી નિર્ણયો જણાવવા પડશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યાબાદ સી.આર. પાટીલે સૌરાષ્ટ્ર્રનો પ્રવાસ કર્યો તે મંત્રી મંડળના મંત્રીઓને કમલમ પર બેસીને કાર્યકરોના પ્રશ્નો ઉકેલવા આદેશ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે આજે મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ કાર્યકરોની રજૂઆતો સાંભળવાની શરૂઆત કરી હતી. અગાઉ 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા તે વખતે પ્રદેશ પ્રમુખ કાશીરામ રાણા હતા, જેમણે સિનિયર મંત્રીઓને ખાનપુર કાર્યાલયમાં કાર્યકરોને સાંભળવા મંત્રીઓને બેસાડયા હતા. પરંતુ રાજકીય ઉથલપાથલના કારણે આ સિલસિલો બંધ થઇ ગયો હતો. હવે કાશીરામ રાણા ના ઈતિહાસનું પુનરાવર્તન થઈ ગયું છે.ભાજપ કાર્યાલય કમલમમાં કાર્યકરો સરળતાથી પોતાના વિસ્તારના પ્રશ્નો વિવિધ સમસ્યાઓ રજૂ કરી શકશે. જેમાં નિયમિત રીતે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ આવી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કામકાજ હાથ ધરશે. આવતા દિવસોમાં રાજ્યના મંત્રીઓની હાલત એવી થવાની છે કે મંત્રીપદ પર રહીને કાર્યકરોને સાંભળ્યા પછી કેટલાક અઘરા નિર્ણયો લેવા પડશે. મંત્રીઓ કાર્યકરોને મળતા નથી, મંત્રીઓ કામ નથી કરતાં તેવા સંદેશાનું ખંડન કરતા મંત્રીઓને કમલમ બેસાડવામાં આવ્યા છે પરંતુ આંતરિક વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ પાટીલના આ નિર્ણયથી મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મંત્રીઓ માટે એકબાજુ પાટીલ અને બીજીબાજુ વિજયભાઈ રૂપાણી આ બન્ને વચ્ચે કોઈને નારાજ કરવા પાલવે તેવું નથી. આમ મંત્રીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments