Webdunia - Bharat's app for daily news and videos

Install App

Interesting facts Of 15 August : સ્વતંત્રતા દિવસ વિશે 10 રોચક વાતો

Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2022 (18:03 IST)
ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી.  ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે.  ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જતિ અને પંથાઅ લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે  આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભલી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. 
 
આજે અમે સ્વતંત્રતા દિવસ વિશે કેટલાક એવા તથ્ય લઈને આવ્યા છે જેના વિશે તમે  કદાચ નહી જાણતા હોય. જાણો કેટલીક આવી જ આશ્ચર્યજનક અને રસપ્રદ વાતો જે જાણીને તમને જરૂર નવાઈ લાગશે. 
 
1. આપણે સૌ જાણીએ છીએ કે બ્રિટિશ લોકોએ આપણા પર રાજ કર્યુ. પણ શુ આપ જાણો છો કે 1600 વર્ષ પહેલા બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની અહી વેપાર કરવા આવી હતી.  તેઓએ ચા, કોટન અને સિલ્કનો  વેપાર કરતા કરતા ભારત પર જ કબજો જમાવી લીધો.  
 
2. તમને ક્યારેક લાગતુ હશે કે 15મી ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસ કેમ... તો જાણી લો કે આ નિર્ણય ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉંટબેંટને લીધો હતો. કારણ કે વર્ષ 1945માં આ જ દિવસે જાપાને બીજા વિશ્વ યુદ્ધના અંતમાં તેના સહયોગી દળના શરણે આવી ગયુ હતુ. 
 
3. શુ આપ જાણો છો 15મી ઓગસ્ટ ફક્ત ભારતનો જ નહી અન્ય 5 દેશોમાં પણ સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવાય છે અને આ દેશ છે બહેરીન, દક્ષિણ કોરિયા, ઉત્તરી કોરિયા, લિક્ટેસ્ટીન અને કાંગો ગણરાજ્ય. 
 
4. દેશને સ્વતંત્રતા મળી ગયા પછી ગાંધીજીએ ઈંડિયન નેશનલ કોંગ્રેસને ખતમ કરવાની યોજના બનાવી હતી.   આ માટે તેમણે એક ડ્રાફ્ટમાં લખ્યુ હતુ કે ઈંડિયન નેશનલ કોંગ્રેસને જે ઉદ્દેશ્ય માટે બનાવી તે મેળવી લીધો છે તેથી હવે તેને ખતમ કરી દેવી જોઈએ. 
 
5. આપણે બધા જાણીએ છીએ કે પંડિત જવાહરલાલ નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા, પણ શુ આપ એ જાણો છો એ લોકોની પહેલી પસંદ નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલને નેહરુ કરતા વધુ વોટ મળ્યા હતા પણ નેહરુની ઈચ્છા બીજા નંબર પર રહેવાની નહોતી. આથી મહાત્મા ગાંધીએ વલ્લભભાઈ પટેલને સમાજાવ્યા. જેને કારણે વલ્લભભાઈ પટેલ પાછળ હટી ગયા અને નેહરુ આઝાદ દેશના પ્રથમ વડાપ્રધાન બની ગયા. 
 
6. પ્રથમ પ્રધાનમંત્રી નેહરુને દુનિયાભરમાં સ્ટાઈલ આઈકોનના રૂપમાં જોવામાં આવતા હતા. તેમનુ નેહરુ જેકેટ એટલુ પ્રખ્યાત હતુ કે તેમણે Vogue મેગેઝીનના કવર પર સ્થાન મેળવ્યુ હતુ. 
 
7. સ્વતંત્રતા દરમિયાન ભારત પાસે કોઈ રાષ્ટ્રગાન નહોતુ. રવિન્દ્રનાથ ટૈગોરે જન ગણ મનને વર્ષ 1911માં લખ્યુ હતુ અને તેને સત્તાવાર રૂપે વર્ષ 1950માં અપનાવવામાં આવ્યુ. 
 
8. બધી મહેલાઓ તરફથી સ્વતંત્ર ભારતની સંસદનુ પ્રતિનિધિત્વ હંસા મેહતાએ કર્યુ હતુ. 
 
9. વર્ષ 1947માં ભારતીય 1 રૂપિયાની કિમંત એક ડોલરના જેટલી જ હતી. વર્તમાનમાં 70 રૂપિયાનો એક ડોલર થઈ ગયો છે. 
 
10. કાયદાકીય રૂપે ત્રિરંગો ફક્ત ખાદીના કપડાથે એજ બનાવવો જોઈએ. ખાદી ડેવલોપમેંટ એંડ વિલેઝ ઈંડસ્ટ્રીઝ કમિશન પાસે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ બનાવવાનો અધિકાર છે. જો કોઈ બીજા કપડા દ્વારા બનાવેલ ઝંડો લહેરાવવામાં આવે છે તો તેને કાયદાકીય રૂપે ત્રણ વર્ષની સજા થઈ શકે છે અને દંડ પણ લાગી શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments