Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Mosquito Day - શા માટે ઉજવાય છે વિશ્વ મચ્છર દિવસ, જાણો મહત્વ

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (09:34 IST)
World Mosquito Day 2023: આજે એટલે કે 20 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1897માં આ દિવસે લિવરપૂલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના બ્રિટિશ ડૉ. રોનાલ્ડ રોસે માદા એનોફિલિસ મચ્છરની શોધ કરી હતી. મલેરિયા આ મચ્છરના કરડવાથી થાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને મચ્છર કરડવાથી થતા રોગો વિશે જાગૃત કરવાનો અને નિવારક પગલાં વિશે જણાવવાનો છે. મેલેરિયા સંબંધિત આ મોટી શોધને કારણે, ડૉ. રોનાલ્ડ રોસને 1902 માં ફિઝિયોલોજી અથવા મેડિસિન માટેનું પ્રતિષ્ઠિત નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
 
20 ઓગસ્ટ 1897ના રોજ જ બ્રિટિશ ડૉક્ટર સર રોનાલ્ડ રોસે માદા એનોફિલિસ મચ્છરની શોધ કરી હતી, જે વિશ્વભરમાં મેલેરિયા અને મૃત્યુ ફેલાવવા માટે જવાબદાર હતી. ત્યારથી આ દિવસને વિશ્વ મચ્છર દિવસ 2022 તરીકે ઉજવવામાં આવે છે. જો કે, અમે તમને જણાવી દઈએ કે મેલેરિયા એનોફિલિસ મચ્છરથી નથી થતો, પરંતુ તે પરજીવીનું કામ કરે છે. આ મચ્છરની શોધ પછી જ, મેલેરિયાને પહોંચી વળવા વૈજ્ઞાનિકો દ્વારા ઘણા વધુ મહત્વપૂર્ણ સંશોધનો કરવામાં આવ્યા હતા. જો કે, વિશ્વમાં મલેરિયાની સારવાર મચ્છરની શોધ પહેલા પણ અસ્તિત્વમાં હતી. અગાઉ વૈજ્ઞાનિકોએ ક્વિનાઈન નામની દવા શોધી કાઢી હતી, પરંતુ તેની ઉણપને કારણે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામતા હતા.
 
વિશ્વ મચ્છર દિવસનું મહત્વ
મચ્છર રોગોના વાહક છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝિકા વાયરસ અને મેલેરિયાનું જોખમ વધે છે. ડેન્ગ્યુ અને મેલેરિયા એ બધામાં સૌથી ખતરનાક છે. આ રોગો જીવલેણ સાબિત થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2010માં આફ્રિકામાં સૌથી વધુ મૃત્યુ મચ્છર કરડવાથી થયા હતા. વિશ્વના કેટલાક ભાગોમાં મેલેરિયા એક મોટી સમસ્યા છે. આ દિવસ મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

આગળનો લેખ
Show comments