Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gruha Lakshmi Yojana: શું છે ગૃહ લક્ષ્મી યોજના? રક્ષાબંધન પર આ રાજ્યની મહિલાઓ માટે થઈ લોન્ચ

Webdunia
બુધવાર, 30 ઑગસ્ટ 2023 (15:12 IST)
Gruha Lakshmi scheme
 Gruha Lakshmi Yojana - કર્ણાટક સરકારે મહિલાઓના સશક્તિકરણ અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે રક્ષાબંધનના અવસર પર ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી. આ યોજના બુધવાર, 30 ઓગસ્ટના રોજ મૈસુર શહેરમાં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત દર મહિને લાભાર્થીઓને 2-2 હજાર રૂપિયા આપવામાં આવશે.

<

#WATCH | Karnataka Government launches the Gruha Lakshmi Yojana, in the presence of Congress President Mallikarjun Kharge and Rahul Gandhi, in Mysuru. pic.twitter.com/ZTU1tpINdq

— ANI (@ANI) August 30, 2023 >
 
લાભાર્થીઓની બેંકોમાં પૈસા મોકલીને કરી લોન્ચ 
કર્ણાટક સરકારની આ યોજના લોકસભા સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરૂ કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન આ યોજનાનું વચન આપ્યું હતું. આ રીતે, સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની રાજ્ય સરકારે વધુ એક ચૂંટણી વચન પૂરું કર્યું છે. યોજના હેઠળ, રાહુલ ગાંધીએ આજે ​​લાયક મહિલાઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા પૈસા મોકલીને તેની શરૂઆત કરી હતી.
 
આ મહિલાઓને મળશે લાભ 
કર્ણાટક સરકારની ગૃહ લક્ષ્મી યોજના હેઠળ, એવા પરિવારોને આર્થિક સહાય આપવામાં આવશે કે જેના વડા મહિલા છે. રાજ્યની 1 કરોડથી વધુ મહિલાઓને આ યોજનાનો લાભ મળવાની અપેક્ષા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક દિવસ પહેલા મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં ગરીબ પરિવારોની લગભગ 1.1 કરોડ મહિલા વડાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે.
 
ચૂંટણી પહેલા આપવામાં આવ્યા હતા આ વચનો 
કર્ણાટક સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ગૃહ લક્ષ્મી કાર્યક્રમ માટે 17,500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ગૃહ લક્ષ્મી યોજના કોંગ્રેસની 5 ગેરંટીઓમાંની એક છે, જેના વચનો ચૂંટણી પહેલા આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે પાંચમાંથી ત્રણ ગેરંટી - શક્તિ, ગૃહ જ્યોતિ અને અન્ન ભાગ્યનો અમલ કરી દીધો છે. ગૃહ લક્ષ્મી યોજના ચોથી ગેરંટી છે. પાંચમી ગેરંટી યુવા ફંડ છે, જે અંતર્ગત રાજ્યના યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે દાવો કર્યો છે કે મહિલાઓ માટે આ વિશ્વની સૌથી મોટી કલ્યાણ યોજના છે.

કોને નહીં મળે લાભ?
ગૃહ લક્ષ્મી યોજના હેઠળ, તે મહિલાઓને પાત્ર ગણવામાં આવશે, જેઓ અંત્યોદય, ગરીબી રેખા નીચે (BPL) અને ગરીબી રેખાથી ઉપર (APL) રેશનકાર્ડમાં કુટુંબના વડા તરીકે નોંધાયેલા છે. આ અંતર્ગત એક પરિવારની માત્ર એક મહિલાને જ લાભ મળશે. જે મહિલાઓ સરકારી કર્મચારી છે અથવા ટેક્સ ચૂકવે છે અથવા જેમના પતિ આવકવેરો અથવા GST રિટર્ન ફાઇલ કરે છે તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.
 
કેવી રીતે કરાવવુ રજીસ્ટ્રેશન 
આ યોજના માટે પાત્ર મહિલાઓએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન પછી વેરિફિકેશન કરવામાં આવશે અને માહિતી સાચી જણાય તો તમને સરકાર દ્વારા આપવામાં આવતી મદદનો લાભ મળવા લાગશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ