Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંસારની બધી મુશ્કેલીઓનું સમાધાન હિન્દુ ધર્મ - અમિત શાહ

Webdunia
સોમવાર, 29 જૂન 2015 (12:00 IST)
ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ દ્વારા હિંદુત્વનો રાગ આલાપવામાં આવ્યો છે. સમય સમય પર સાંસદ સાક્ષી મહારાજ અને અનેક હિદુવાદી નેતા હિંદુત્વના મુદ્દે જુદા જુદા નિવેદનો આપી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા તાજેતરમાં જ હિંદુત્વવાદી નિવેદનબાજી કરવાના મામલાને  રાજનીતિક હવા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છેકે હિન્દુ ધર્મ દુનિયાની બધી પરેશાનીઓનુ સમાધાન કરવામાં સક્ષમ છે. આ ધર્મમાં બધી પરેશાનીઓનું સમાધાન છે. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિશ્વવિદ્યાલયના સભાગૃહમાં રાષ્ટ્રપતિ એપીજે કલામની પુસ્તક ટ્રાંસેંડ્સ - માય સ્પિરિચ્યુઅલ એક્સપીરિયંસિસ વિથ પ્રમુખ સ્વામીજીના વિમોચન પર તેઓ શ્રોતાગણને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે શ્રોતાઓને સંબોધિત કરતા કહ્યુ કે હિંદુ ધર્મમાં દુનિયાની બધી પરેશાનીઓનું સમાધાન છે.  હુ જન્મથી હિંદુ છુ તેથી આવુ નથી કહી રહ્યો. સોહરાબુદ્દીન શેખ બનાવટી એનકાઉનંટરને યાદ કરતા તેમને ખુદ પર બે વર્ષો સુધી ગુજરાત પ્રવેશ પર લગાવેલ રોકને લઈને કહ્યુ કે બે વર્ષ સુધી મુશ્કેલીઓનો સામનો કર્યો તો તેઓ ભારતના દરેક ધાર્મિક સ્થળ પર ગયા. આ દરમિયાન તેમણે જ્યોર્તિલિંગ અને શક્તિપીઠોના દર્શનોનુ સૌભાગ્ય પણ મળ્યુ અને તેમણે ત્યાથી આર્શીવાદ મેળવ્યા.  જો કે તેમણે ગુજરતના સોમનાથ મંદિરના દર્શન ન કરી શકવાનો અફસોસ રહ્યો.  આ દરમિયાન તેમણે કહ્યુ કે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હિંદુ પરંપરાને એક નવુ રૂપ આપવામાં આવ્યુ. તેમણે આ સંપ્રદાયના ધાર્મિક કાર્યો પર ખુશી બતાવી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

Show comments