Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs SA Final મેચમાં બનશે 200 પ્લસનો સ્કોર ? જાણો રાહુલ દ્રવિડે આ અંગે શું કહ્યું

Webdunia
શનિવાર, 29 જૂન 2024 (08:44 IST)
india vs south africa

T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે, એવી બે ટીમો જેણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. ટૂર્નામેન્ટની આ સૌથી મહત્વપૂર્ણ મેચ કેનિંગ્સનટ ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે યોજાશે. અત્યાર સુધી, આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ચર્ચા પીચોને લઈને જોવા મળી છે, જેમાં 200 પ્લસનો સ્કોર બનાવવો એ ટીમો માટે બિલકુલ સરળ કામ નથી.  આવી સ્થિતિમાં હવે તમામની નજર ફાઈનલ મેચની પીચ પર છે, જેના સંદર્ભમાં ભારતીય ટીમના મુખ્ય કોચે મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એક વાત સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી હતી.
 
અહીં 170 નો સ્કોર તમારા માટે 200 જેવો છે
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ફાઈનલ મેચ પહેલા પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે ન્યૂયોર્કમાં અલગ રીતે રમ્યા અને પછી અમે સેન્ટ લુસિયામાં રમ્યા અને પછી અમે બાર્બાડોસમાં રમ્યા જેમાં તે મેચમાં વિકેટ થોડી ધીમી હતી. પરંતુ ફાઈનલ મેચમાં અમને કેવા પ્રકારની વિકેટ મળશે તે અંગે અમે હજુ કંઈ કહી શકતા નથી. હા, હું ચોક્કસપણે કહી શકું છું કે અમને ગમે તે પ્રકારની સ્થિતિ મળશે, અમે છેલ્લી ત્રણ મેચમાં જે રીતે કર્યું છે તે પ્રમાણે અમે અમારી જાતને અનુકૂળ કરવાનો પ્રયાસ કરીશું. મને લાગે છે કે એન્ટિગુઆ અને સેન્ટ લુસિયાની વિકેટો અહીં કરતાં બેટિંગ માટે ઘણી સારી હતી, પરંતુ તે બંને મેચમાં અમે ત્યાંના સરેરાશ સ્કોર કરતાં થોડો વધારે સ્કોર કરી શક્યા. અહીં વિકેટ ખરાબ નથી પરંતુ ગતિ ચોક્કસપણે ધીમી છે અને જો તમે 170 રન બનાવશો તો પણ તે 200 તરીકે જોવામાં આવશે.
 
વિકેટ આગાઉની મેચ કરતા થોડી જુદી હોઈ શકે 
રાહુલ દ્રવિડે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે અમે અહીં પહેલા પણ મેચ રમી ચુક્યા છીએ, તેથી અહીંની પરિસ્થિતિઓને સમજવામાં અમને ચોક્કસપણે થોડી મદદ મળી, પરંતુ અમને આ મેચ માટે અલગ વિકેટ મળશે, તેથી અમારે પોતાને સંપૂર્ણ રીતે તૈયાર રાખવું જોઈએ. અમે આ ટૂર્નામેન્ટમાં એક જૂથ તરીકે ઘણું સારું રમ્યા છીએ અને દરેક મેચમાં સમજી ગયા છીએ કે સારો સ્કોર શું હોઈ શકે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments