Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 વર્ષમાં અમદાવાદમાં સૌથી વધુ નોંધાયા

Webdunia
શુક્રવાર, 8 નવેમ્બર 2019 (11:35 IST)
રાજ્યમાં આ ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે.જામનગર, અમદાવાદ અને રાજકોટમાં ડેન્ગ્યુના અનેક કેસો નોંધાયા છે જેમાં લોકોએ જાન પણ ગુમાવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં બહાર પાડેલા આંકડા પ્રમાણે, 2019ના 10 મહિનામાં ડેન્ગ્યુના જેટલા કેસ નોંધાયા છે તેટલા 2018ના આખા વર્ષ દરમિયાન નોંધાયા હતા. 2018માં ડેન્ગ્યુના 3,135 કેસ નોંધાયા હતા જ્યારે ચાલુ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં 3,345 કેસ નોંધાયા છે. સૂત્રો કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આ સૌથી મોટો આંકડો છે.અમદાવાદમાં જો વરસાદી ઝાપટા આવતા રહેશે તો પાણી સંગ્રહ થશે અને તેના કારણે ડેન્ગ્યુના દર્દીઓનો આંકડો વધી શકે છે. ડેન્ગ્યુને કન્ટ્રોલમાં લેવા સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેશને 2,125 નોટિસ કંસ્ટ્રક્શન સાઈટોને ફટકારી હતી અને 46 સ્થળો સીલ કરાયા હતા. ઉપરાંત 6,085 ધંધાકીય એકમોને નોટિસ પાઠવવામાં આવી અને મચ્છરના બ્રીડિંગ મળતા 84ને સીલ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ મચ્છરથી ફેલાતા ડેન્ગ્યુ અને મેલેરિયા બંનેનો ફેલાવો સપ્રમાણ હતો. ત્યારે 2018ની સરખામણીમાં મેલેરિયાના કેસ ઘટ્યા છે. 2018માં મેલેરિયાના 5,801 કેસ હતા જ્યારે આ વર્ષે 3,901 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાનું પ્રમાણ પણ ગયા વર્ષની સરખામણીએ નીચું છે. 2018માં ચિકનગુનિયાના 194 કેસ હતા જ્યારે આ વર્ષે 108 કેસ નોંધાયા છે. અધિકારીઓનું કહેવું છે કે, તેમને રહેણાંક વિસ્તારોમાંથી મચ્છરોની 2.35 લાખ બ્રીડિંગ સાઈટ મળી અને નષ્ટ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

સીતામઢીના તળાવમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રોશ ફેલાયો છે

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

આગળનો લેખ
Show comments